ETV Bharat / state

મહા વાવાઝોડાને લઈને દીવના કલેકટરે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

author img

By

Published : Nov 6, 2019, 1:11 AM IST

દીવઃ સંભવિત મહા વાવાઝોડાના ખતરાને લઈને દીવના કલેકટર સલોની રાય દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. કલેકટરે તેમના અધિકારીઓ સાથે દીવના વિસ્તારોમાં ફરીને લોકોને વાવાઝોડા સામે રક્ષણ મેળવા માટે કેટલીક આગમચેતી રાખીને લોકો આ વાવાઝોડાને લઈને સાવચેત બને તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

div

આગામી 6 કે 7મી તારીખે સંઘ પ્રદેશ દીવમાં સંભવિત મહા વાવાઝોડું ત્રાટકી શકે છે, તેવી શક્યતાઓ વ્યક્ત થઇ છે. આ વાવાઝોડું દીવથી લઈને પોરબંદરના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ મુશ્કેલીના સમયમાં લોકોએ તકેદારીના પગલાં ભરવા તે અંગેની માહિતી જિલ્લા કલેકટર સલોની રાયે દીવના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને આપી હતી.

મહા વાવાઝોડાને લઈને દીવના કલેકટરે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

સંભવિત વાવાઝોડાની પરિસ્તિથીમાં લોકોને આશ્રય મળી રહે તે માટે દીવના વણાંકબારા અને ઘોઘલા ખાતે આવેલા શેલ્ટર હાઉસની કલેકટર સલોની રાયે મુલાકાત લીધી હતી. વણાંકબારાના ગોમતી માતા વિસ્તારમાં જલારામ સોસાયટી અને ઘોઘલાના મીઠા બાવા વિસ્તાર તેમજ કિનારાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ છે. આ વિસ્તારના લોકોને વધુ સાવચેતી રાખવા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આગામી 6 કે 7મી તારીખે સંઘ પ્રદેશ દીવમાં સંભવિત મહા વાવાઝોડું ત્રાટકી શકે છે, તેવી શક્યતાઓ વ્યક્ત થઇ છે. આ વાવાઝોડું દીવથી લઈને પોરબંદરના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ મુશ્કેલીના સમયમાં લોકોએ તકેદારીના પગલાં ભરવા તે અંગેની માહિતી જિલ્લા કલેકટર સલોની રાયે દીવના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને આપી હતી.

મહા વાવાઝોડાને લઈને દીવના કલેકટરે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

સંભવિત વાવાઝોડાની પરિસ્તિથીમાં લોકોને આશ્રય મળી રહે તે માટે દીવના વણાંકબારા અને ઘોઘલા ખાતે આવેલા શેલ્ટર હાઉસની કલેકટર સલોની રાયે મુલાકાત લીધી હતી. વણાંકબારાના ગોમતી માતા વિસ્તારમાં જલારામ સોસાયટી અને ઘોઘલાના મીઠા બાવા વિસ્તાર તેમજ કિનારાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ છે. આ વિસ્તારના લોકોને વધુ સાવચેતી રાખવા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Intro: મહા વાવાઝોડાની શક્યતાની વચ્ચે દીવ પ્રશાસન દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો
Body:સંભવિત મહા વાવાઝોડાના ખતરાને લઈને દીવ કલેકટર સલોની રાય દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવ્યો કલેકટર તેમના અધિકારીઓ સાથે દીવના વિસ્તારોમાં ફરીને લોકોને વાવાઝોડા સામે રક્ષણ મેળવા માટે કેટલીક આગમચેતી રાખીને લોકો આ વાવાઝોડાને લઈને સાવચેત બને તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા

આગામી 6 કે 7મી તારીખે સંઘ પ્રદેશ દીવમાં સંભવિત મહા વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આ વાવાઝોડું દીવથી લઈને પોરબંદરના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે જેને લઈને લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેમજ મુશ્કેલીના સમયમાં લોકોએ તકેદારીના કેવા પગલાં ભરવા તે અંગેની માહિતી ખુદ જિલ્લા કલેકટર સલોની રાયે દીવના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને આપી હતી સંભવિત વાવાઝોડાની પરિસ્તિથીમાં લોકોને આશ્રય મળી રહે તે માટે દીવના વણાંકબારા અને ઘોઘલા ખાતે આવેલા શેલ્ટર હાઉસની કલેકટર સલોની રાય દ્વારા મુલાકાત કરવામાં આવી હતી વણાંકબારાના ગોમતી માતા વિસ્તાર જલારામ સોસાયટી અને ઘોઘલાના મીઠા બાવા વિસ્તાર તેમજ કિનારાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ છે આ વિસ્તારના લોકોને વધુ સાવચેતી રાખવા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

બાઈટ - 01 રમેશ દમણિયા વણાંકબાર પંચાયત
Conclusion:લોકો અને માછીમારોને ખાસ સાવચેતી રાખવા કરવામાં આવ્યો અનુરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.