દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દ્વારકામાં આવેલાં શિવરાજપુરના બીચને સ્વચ્છ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બીચના ત્રણ કિલોમીટર સુધીના અંતરમાં વાહનવ્યવહાર અટકાવવા, કચરો ફેંકવા અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે.
આમ, બીચને સ્વચ્છ રાખવા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે જિલ્લા કલક્ટરે એક પ્રયાસ કર્યો છે. આ જાહેરનામું તારીખ 8 ડિસેમ્બર 2019 સુધી અમલમાં આવશે. જેનો ભંગ કરનારને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે.