ETV Bharat / state

જામ ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામાં નાહ્વા પડતા 4 લોકોના મોત

author img

By

Published : Jul 25, 2020, 11:41 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા વિસ્તારમાં આવેલા ધરમપુર ભાભુંડાની ધાર નજીક વરસાદી પાણીના ખાડામાં નાહ્વા પડતા 3 યુવાનો સહિત 4 લોકોના ડૂબી જતાં મોત થયાં હતા.

khambhaliya
દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અનેક સ્થળો ઉપર ત્રણથી છ ફૂટના ઉંડા ખાડાઓ આવેલા છે. જે વર્ષો સુધી તંત્ર દ્વારા ભરવામાં આવ્યા નથી. દર વર્ષે વરસાદના પાણીમાં આ ખાડાઓ ભરાઈ જાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવતી નથી. જેના કારણે ખંભાળિયામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખંભાળિયાના દલવાડી પરિવારના ત્રણ કિશોરોા નાહ્વા પડતાં ડૂબી જતા, તેને બચાવવા જતા ત્રણે કિશોરના સગા કાકા પણ ડૂબી જતાં એક જ પરિવારના કુલ ચાર લોકો ડૂબી ગયા હતા.

જામ ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામા નાહવા પડતા 4 લોકો ડૂબી જતાં મોત
જ્યારે એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી જતાં સ્થળ ઉપર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ખંભાળિયા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ચારે મૃતકોના પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે ચાર લોકોના મોત થતાં દલવાડી સમાજ સહિત ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અનેક સ્થળો ઉપર ત્રણથી છ ફૂટના ઉંડા ખાડાઓ આવેલા છે. જે વર્ષો સુધી તંત્ર દ્વારા ભરવામાં આવ્યા નથી. દર વર્ષે વરસાદના પાણીમાં આ ખાડાઓ ભરાઈ જાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવતી નથી. જેના કારણે ખંભાળિયામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખંભાળિયાના દલવાડી પરિવારના ત્રણ કિશોરોા નાહ્વા પડતાં ડૂબી જતા, તેને બચાવવા જતા ત્રણે કિશોરના સગા કાકા પણ ડૂબી જતાં એક જ પરિવારના કુલ ચાર લોકો ડૂબી ગયા હતા.

જામ ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામા નાહવા પડતા 4 લોકો ડૂબી જતાં મોત
જ્યારે એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી જતાં સ્થળ ઉપર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ખંભાળિયા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ચારે મૃતકોના પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે ચાર લોકોના મોત થતાં દલવાડી સમાજ સહિત ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.