ETV Bharat / state

ગિરિમથક સાપુતારામાં પણ મંદીના વાદળો ઘેરાયા - Saputara weather

ડાંગ: ગુજરાતી કી આંખો કા તારા સાપુતારામાં મંદીના વાદળો ઘેરાઈ રહ્યાં છે. મંદીનો માર સહન કરતાં વિવિધ ઉદ્યોગોની સાથે પહેલી વાર પ્રવાસન ઉદ્યોગને પણ નુકસાન થવાનો વારો આવ્યો છે. દિવાળીના માહોલ વચ્ચે દેશમાં મંદીની અસર વર્તાઈ રહી છે. ઓટોમોબાઇલ, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને હીરા ઉદ્યોગમાં મંદીના મારે લોકોની કમર તોડી નાખી છે, ત્યારે પ્રવાસન ઉદ્યોગ પણ મંદીથી દૂર રહ્યો નથી.

etv bharat
author img

By

Published : Oct 30, 2019, 9:37 PM IST

ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગ જિલ્લાના છેવાડે, મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ સાપુતારામાં કુદરતી વાતાવરણ અને મનમોહક દ્રશ્યો હોવાના કારણે સાપુતારા ખીલી ઉઠે છે. પણ હાલ દિવાળીની રજાઓમાં કદાચ મંદીના કારણે સાપુતારાની રોનક ખોવાયેલી જણાઈ આવે છે. મંદીની અસર પ્રવાસન વિભાગને પણ અસર કરવા લાગી છે.

ગિરિમથક સાપુતારામાં પણ મંદીના વાદળો ઘેરાયા

હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. પ્રવાસીઓ પોતાની માનસીક શાંતિ માટે સાપુતારા જેવી શાંત જગ્યાએ આવવાનું પસંદ કરતાં હોય છે. પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, સમર અને વિન્ટર ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો યોજીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ હાલ નવરાત્રી બાદ સાપુતારામાં ધીમીધીમે પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં મંદીના માહોલના કારણે પ્રવાસન વિભાગ પણ બાકાત રહ્યું નથી, ત્યારે સાપુતારા જેવા હિલ સ્ટેશન પર લોકોને આકર્ષિત કરવા, સાપુતારાના વિકાસકીય કામો પણ જરૂરી બન્યાં છે. સાપુતારામાં જુદા જુદા ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવો થકી સરકારને પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી છે. જ્યારે આ પ્રવાસીઓને પકડી રાખવાના પ્રયત્નો સદંતર નિષ્ફળ રહ્યા છે.

ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગ જિલ્લાના છેવાડે, મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ સાપુતારામાં કુદરતી વાતાવરણ અને મનમોહક દ્રશ્યો હોવાના કારણે સાપુતારા ખીલી ઉઠે છે. પણ હાલ દિવાળીની રજાઓમાં કદાચ મંદીના કારણે સાપુતારાની રોનક ખોવાયેલી જણાઈ આવે છે. મંદીની અસર પ્રવાસન વિભાગને પણ અસર કરવા લાગી છે.

ગિરિમથક સાપુતારામાં પણ મંદીના વાદળો ઘેરાયા

હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. પ્રવાસીઓ પોતાની માનસીક શાંતિ માટે સાપુતારા જેવી શાંત જગ્યાએ આવવાનું પસંદ કરતાં હોય છે. પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, સમર અને વિન્ટર ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો યોજીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ હાલ નવરાત્રી બાદ સાપુતારામાં ધીમીધીમે પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં મંદીના માહોલના કારણે પ્રવાસન વિભાગ પણ બાકાત રહ્યું નથી, ત્યારે સાપુતારા જેવા હિલ સ્ટેશન પર લોકોને આકર્ષિત કરવા, સાપુતારાના વિકાસકીય કામો પણ જરૂરી બન્યાં છે. સાપુતારામાં જુદા જુદા ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવો થકી સરકારને પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી છે. જ્યારે આ પ્રવાસીઓને પકડી રાખવાના પ્રયત્નો સદંતર નિષ્ફળ રહ્યા છે.

Intro:ગુજરાતી કી આંખો કા તારા સાપુતારામાં મંદીના વાદળો ઘેરાઈ રહ્યાં છે. મંદીનો માર સહન કરતાં વિવિધ ઉદ્યોગોની સાથે પહેલી વાર પ્રવાસન ઉદ્યોગને પણ નુકસાન કરવાનો વારો આવ્યો છે. દિવાળીના માહોલ વચ્ચે દેશમાં મંદીની અસર વર્તાઈ રહી છે. ઓટોમોબાઇલ, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને હીરા ઉદ્યોગમાં મંદીના મારે લોકોની કમર તોડી નાખી છે ત્યારે પ્રવાસન ઉદ્યોગ પણ મંદીથી છેટો રહ્યો નથી.


Body:ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગ જિલ્લાના છેવાડે, મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ સાપુતારામાં કુદરતી વાતાવરણ અને મનમોહક દ્રશ્યો હોવાના કારણે સાપુતારા ખીલી ઉઠે છે. પણ હાલ દિવાળીની રજાઓમાં કદાચ મંદીના કારણે સાપુતારાની રોનક ખોવાયેલી જણાઈ આવે છે. મંદીની અસર પ્રવાસન વિભાગને પણ અસર કરવા લાગી છે.

હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. પ્રવાસીઓ પોતાની માનસીક શાંતિ માટે સાપુતારા જેવી શાંત જગ્યાએ આવવાનું પસંદ કરતાં હોય છે. પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સરકાર દ્વારા જુદાજુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, સમર અને વિન્ટર ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો યોજીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ હાલ નવરાત્રી બાદ સાપુતારામાં ધીમીધીમે પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી જણાઈ રહી છે.

સાપુતારા હોટેલ એસોસિએશન ના સેક્રેટરી શ્રી તુકારામભાઈ ખર્ડીલે ETV ભારત સાથે વાત કરતાં જણાવે છે કે છેલ્લા 30, 35 વર્ષમાં પહેલી વાર મંદીના કારણે દિવાળીની સીઝનમાં ઓછા લોકો જોવા મળી રહ્યા છે. સાપુતારામાં હાલ 26 કરોડના ખર્ચે તળાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગવર્મેન્ટ દ્વારા સાપુતારાના વિકાસ માટે અનેક કામો હાથ ધરવામાં આવે છે પણ જો સાપુતારા સિવાયના ડાંગ જિલ્લાની અન્ય જગ્યાઓને પણ વિકસિત કરવામાં આવે તો પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ સાપુતારામાં રોકાણ કરી શકે, આ ઉપરાંત ડાંગમાં ભરપૂર પ્રમાણમાં જંગલ વિસ્તાર પ્રસરેલી હોવાથી જંગલની પેદાશોના ઉપયોગ થકી રોજગારી પેદા કરી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ સાપુતારામાં ઓછા પ્રવાસીઓ આવવાનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોઈ શકે છે કારણ મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા લાગ્યા છે પણ જો સાપુતારા તરફ ગવર્મેન્ટ ધ્યાન આપે અને સાપુતારામાં વિકાસની સાથે તેનું પ્રમોશન કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો સાપુતારા તરફ આવી શકે છે.

સ્થાનિક વેપારી પ્રકાશભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 16 વર્ષથી સાપુતારામાં ધંધો કરી રહ્યા છે પણ આ વર્ષે પ્રવાસીઓ ઓછા હોવાના કારણે તેઓ કપરી પરિસ્થિતિનો વેઢવાનો સમય આવ્યો છે.

સાપુતારા ફરવા આવતાં મુલાકાતીઓ સાથે વાત કરતાં જાણવાં મળ્યું કે તેઓને કુદરતી વાતાવરણનો અહેસાસ ફક્ત સાપુતારામાં જણાય છે. સાપુતારામાં આદિવાસી કલચર પણ આકર્ષક નું કેન્દ્ર છે, લોકોના સ્વાગત માટે કાહલ્યા અને અને સુર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે.બાળકો માટે અનેક એડવેન્ચર એક્ટિવિટીઓ હોવાના કારણે બાળકો પણ ખૂબ મઝા કરી રહ્યા છે. સાપુતારામાં ફરવા લાયક જગ્યાઓ માં બોટીંગ, સનસેટ પોઇન્ટ, સન રાઈઝ પોઇન્ટ, પેરા ગ્લાઈડીગ, સ્ટેપ ગાર્ડન, ટ્રાઇબલ મ્યુઝિયમ, એડવેન્ચર એક્ટિવિટીઓ વગેરે.


Conclusion:ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં મંદીના માહોલના કારણે પ્રવાસન વિભાગ પણ બાકાત રહ્યું નથી ત્યારે સાપુતારા જેવા હિલ સ્ટેશન પર લોકોને આકર્ષિત કરવા, સાપુતારાના વિકાસકીય કામો પણ જરૂરી બન્યાં છે. સાપુતારામાં જુદાજુદા ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવો થકી સરકારને પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી છે, જ્યારે આ પ્રવાસીઓને પકડી રાખવાના પ્રયત્નો સદંતર નિષ્ફળ રહ્યા છે.


બાઈટ
01 : તુકારામભાઈ ખર્ડીલે ( સાપુતારા હોટેલ એસોસિએશન સેક્રેટરી )

02: પ્રકાશભાઈ સ્થાનિક વેપારી.

03 : નિલેશ નાયક ( પ્રવાસી મુંબઈ )

04 : મનોજ ત્રિવેદી ( પ્રવાસી )

રિપોર્ટ - ઉમેશ ગાવીત - ETV ભારત ડાંગ


approved by desk
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.