ETV Bharat / state

'મહા'ની અસર વલસાડ અને સંઘપ્રદેશમાં, અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ - વલસાડમાં કમોસમી વરસાદ

દમણ: 'ક્યાર'ની ઘાત ટળ્યા બાદ ગુજરાત અને સંઘપ્રદેશ પર 'મહા' વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. ગુજરાતમાં વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 26 કલાકમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

'મહા'ની અસર વલસાડ અને સંઘપ્રદેશમાં
author img

By

Published : Nov 2, 2019, 12:04 PM IST

શુક્રવારે મોડી સાંજ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ આવ્યો હતો. કામોસમી વરસાદથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓ, કારખાનામાં કામ કરતા કર્મચારીઓ, માછીમારો તમામ લોકો ચિંતામાં મુકાયા છે. દિવાળી બાદ ઠંડીની શરૂઆત થવાને બદલે હજૂ પણ ચોમાસા જેવો માહોલ જળવાઈ રહ્યો છે. જેથી જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.

'મહા'ની અસર વલસાડ અને સંઘપ્રદેશમાં

છેલ્લા 26 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 87 મિ.મી વરસાદ વરસ્યો છે. કપરડામાં 33 મિ.મી, પારડીમાં 45 મિ.મી, વલસાડમાં 40 મિ.મી, જ્યારે વાપી-ઉમરગામમાં 1થી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એવી જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ 1થી સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદી ઝાપટાંથી સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

અત્યારસુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 101 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 163 ઇંચ, ધરમપુર તાલુકામાં 125 ઇંચ, પારડી તાલુકામાં 117 ઇંચ, વલસાડ તાલુકામાં 115 ઇંચ, વાપી તાલુકામાં 138 ઇંચ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 142 ઇંચ, જ્યારે ખાનવેલમાં 155 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે.

શુક્રવારે મોડી સાંજ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ આવ્યો હતો. કામોસમી વરસાદથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓ, કારખાનામાં કામ કરતા કર્મચારીઓ, માછીમારો તમામ લોકો ચિંતામાં મુકાયા છે. દિવાળી બાદ ઠંડીની શરૂઆત થવાને બદલે હજૂ પણ ચોમાસા જેવો માહોલ જળવાઈ રહ્યો છે. જેથી જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.

'મહા'ની અસર વલસાડ અને સંઘપ્રદેશમાં

છેલ્લા 26 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 87 મિ.મી વરસાદ વરસ્યો છે. કપરડામાં 33 મિ.મી, પારડીમાં 45 મિ.મી, વલસાડમાં 40 મિ.મી, જ્યારે વાપી-ઉમરગામમાં 1થી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એવી જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ 1થી સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદી ઝાપટાંથી સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

અત્યારસુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 101 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 163 ઇંચ, ધરમપુર તાલુકામાં 125 ઇંચ, પારડી તાલુકામાં 117 ઇંચ, વલસાડ તાલુકામાં 115 ઇંચ, વાપી તાલુકામાં 138 ઇંચ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 142 ઇંચ, જ્યારે ખાનવેલમાં 155 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે.

Intro:લોકેશન :- વાપી


વાપી :- 'ક્યાર'ની ઘાત ટાળ્યા બાદ ગુજરાત અને સંઘપ્રદેશ પર 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 26 કલાકમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

Body:શુક્રવારે મોડી સાંજ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કામોસમી વરસાદથી ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓ, કારખાનામાં કામ કરતા કર્મચારીઓ, માછીમારો સૌકોઈ ચિંતામાં મુકાયા છે. સામાન્ય સંજોગોમાં દિવાળી બાદ ઠંડીની શરૂઆત થવાને બદલે હજુ પણ ચોમાસા જેવો માહોલ જળવાઈ રહ્યો છે. કમોસમી વરસાદી ઝાપટાં ખેતીના પાકને, કારખાનાના માલને મોટાપાયે બગાડી રહ્યા છે. વરસાદી માહોલને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.


છેલ્લા 26 કલાકની વાત કરીએ તો વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં સૌથી વધુ 87mm વરસાદ વરસ્યો છે. કપરડામાં 33 mm વરસાદ, પારડીમાં 45 mm, વલસાડમાં 40 mm, જ્યારે વાપી-ઉમરગામમાં 1 થી સવા ઇંચ વરસાદ વરસ્યો છે. એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ 1 થી સવા ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદી ઝાપટાં થી હાલ આ વિસ્તારના લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. 


વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં પડેલા કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 101 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 163 ઇંચ, ધરમપુર તાલુકામાં 125 ઇંચ, પારડી તાલુકામાં 117 ઇંચ, વલસાડ તાલુકામાં 115 ઇંચ, વાપી તાલુકામાં 138 ઇંચ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 142 ઇંચ, જ્યારે ખાનવેલમાં 155 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે. 

Conclusion:હવે તો ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદથી સોશ્યલ મીડિયામાં પણ અનેક કોમેન્ટ વહેતી થઈ છે કે ભીમ અગિયારસ ઉપર જુગાર રમવા, સાતમ-આઠમનો મેળો કર્યો, રક્ષાબંધનની રાખડી બંધાવી, ગણપતિ બાપાના પ્રસંગે પણ હાજરી આપી, પિતૃઓનું શ્રાદ્ધ ખાવા પણ આવ્યો, નવરાત્રીમાં ગરબા રમવા આવ્યો, રાવણ દહન ને બદલે રાવણના પૂતળાને ડુબાડીને જ ગયો, શરદ પૂનમમાં રાસ પણ લીધા, દીવાળીએ ફટાકડા પણ ફોડ્યા, લાગે છે હવે તો ઉતરાયણ ની પતંગ પણ ચગાવીને જશે અને કદાચ હોળી પણ રમે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.