ઉમરગામ નારગોલ વિસ્તારમાં દરિયાકાંઠા પર પ્રદૂષણની માત્રા વધી છે. વધતા પ્રદુષણને છેલ્લા 15 દિવસથી સ્થાનિક માછીમારો સાફ કરી રહ્યા છે. જેમાં મળતી વિગત મુજબ, 15 દિવસ પહેલા બંને વિસ્તારના દરિયાકિનારાની વચ્ચે આવેલ વારોલી ખાડીમા કોઈ ગંદો કચરો ઠાલવી ગયું છે.
![Valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-28june-pollution-reward-photo-gj10020_28062019180432_2806f_1561725272_1067.jpg)
આ કચરાથી નારગોલ ઉમરગામ, ખતલવાડ, ઝાઇ વગેરે વિસ્તારના માછીમારોને ભારે નુકશાન થઈ રહ્યું છે. તેમજ પ્રવાસીઓ તથા સવારે મોર્નિંગ વોક કરનારાઓ માટે હાનિકારક બની રહ્યું છે.આ કુડા કચરા સહિતના પ્રદૂષણનું નારગોલ બંદરના માછીમાર નવયુવાનોએ નોંધ લઇ સફાઈ અભિયાન શરૂ કર્યું છે.
છેલ્લા 1 અઠવાડિયાથી સતત આ સફાઈ કામગીરી કરી રહ્યા છે. જેની મુલાકાત નારગોલની સેવાભાવી સમભાવના મંડળે લીધી હતી. આ રીતે સાગરતટને પ્રદુષિત કરનારાં ઈસમોને પકડવા માટે ₹ 11000/-નાં ઇનામની જાહેરાત કરી છે. જે માટે હેલ્પલાઇન નંબર 98252 89862 , 97263 60228 પર જાણકારી આપવા વિનંતી કરી છે. સંસ્થાએ આ અંગેની નકલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, સરીગામ, મરીન પોલીસ સ્ટેશન નારગોલને પણ સુપ્રત કરી છે.
![valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-28june-pollution-reward-photo-gj10020_28062019180432_2806f_1561725272_817.jpg)
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નારગોલ વિસ્તારના દરિયા કિનારે મહત્તમ માછીમારોની વસ્તી છે. માછીમારી એ જ એમનો મુખ્ય વ્યવસાય છે. એ ઉપરાંત આ તટ રમણીય પ્રવાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય હોય તેને પ્રદૂષણનું ગ્રહણ ન નડે તે માટે ગામલોકોએ અને સ્થાનિક સંસ્થાઓએ આ બીડું ઝડપ્યું છે.
![valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-28june-pollution-reward-photo-gj10020_28062019180432_2806f_1561725272_998.jpg)