આજની ભાગદોડ ભરી જીંદગીમાં કેટલાક લોકો તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તો તેમાં ઘટાડો કરવા માટે નશીલા પદાર્થો અને દવાઓનો સહારો લેવા માંડ્યા છે. જે કેટલાક સમય બાદ તે વ્યક્તિને તેના વ્યસની બનાવી દે છે. જેને બાદમાં છોડી શકાતું નથી આ વાતને ધ્યાનમાં રાખી તબીબી અને આરોગ્ય સેવાના નિયામક દ્વારા 26મી જૂનના "International Day Against Drug Abuse & Illicit Trafficking ની દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત જ્યાં એક તરફ તમામ આરોગ્ય કેન્દ્ર પર નશીલા પદાર્થોના દુષ્પરિણામ અને તેમાંથી મુક્તિ માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેની બીજી તરફ પ્રદેશના યુવાનોમાં વધી રહેલી નશાની આદતોમાં ઘટાડો લાવવા સ્કૂલ અને કોલેજોમાં પણ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામથી અવગત કરાયા હતા.
સંઘપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસન મનાવ્યો - International Day Against Drug Abuse
સેલવાસ : આરોગ્ય સેવાના નિયામક દ્વારા 26મી જૂનના "International Day Against Drug Abuse & Illicit Trafficking ની દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં કેટલાક લોકો તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તો તેમાં ઘટાડો કરવા માટે નશીલા પદાર્થો અને દવાઓનો સહારો લેવા માંડ્યા છે. જે કેટલાક સમય બાદ તે વ્યક્તિને તેના વ્યસની બનાવી દે છે. જેને બાદમાં છોડી શકાતું નથી આ વાતને ધ્યાનમાં રાખી તબીબી અને આરોગ્ય સેવાના નિયામક દ્વારા 26મી જૂનના "International Day Against Drug Abuse & Illicit Trafficking ની દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત જ્યાં એક તરફ તમામ આરોગ્ય કેન્દ્ર પર નશીલા પદાર્થોના દુષ્પરિણામ અને તેમાંથી મુક્તિ માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેની બીજી તરફ પ્રદેશના યુવાનોમાં વધી રહેલી નશાની આદતોમાં ઘટાડો લાવવા સ્કૂલ અને કોલેજોમાં પણ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામથી અવગત કરાયા હતા.
આ કાર્યક્રમમાં વધુ જાણકારી આપતા તબીબી અને આરોગ્ય સેવાના દાદરા નગર હવેલીના નિયામક ડોક્ટર વી. કે. દાસે જણાવ્યું હતું કે, આ દિવસનું મહત્વ લોકોમાં નશીલા પદાર્થો અંગે જાગૃતિ ફેલાવવાનું છે. અને વ્યસનથી છુટકારો મેળવવા કઈ રીતનો ઉપચાર કરવો જોઈએ. તે સંબંધિત માર્ગદર્શન આપવાનો છે. નશીલા પદાર્થોનું સેવન માનોચિકિત્સય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. જે પુરા વિશ્વમાં ફેલાયેલી છે. અને યુવાનોને ગેરમાર્ગે દોરનારી છે. દાદરા નગર હવેલીમાં આરોગ્ય કેન્દ્ર પર વિશેષ મનોચિકિત્સા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વ્યસનીઓની ઓળખ કરી તેમની સાથે જરૂરી વાતચિત કરી તેમનો ઉપચાર કરવામાં આવે છે. અને નશીલી આદતમાંથી છુટકારો મેળવવા સહાયરૂપ ભૂમિકા ભજવવામાં આવે છે.
Conclusion:આ કાર્યક્રમનું આયોજન સ્કૂલ અને કોલેજોમાં કરવામાં આવ્યું હતું. જેમાં તબીબી અને આરોગ્ય સેવાના મનોચિકિત્સક, ડીસ્ટ્રીક લીગલ સર્વિસીસ ઓથોરિટીના વકીલ અને પોલીસ વિભાગના અધિકારીઓએ "ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ પર યુવાનોને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.