ETV Bharat / state

દાહોદમાં અનાજ માર્કેટના ત્રણ ગોડાઉનમાં તસ્કરો ચોરી કરી ફરાર

દાહોદઃ શહેરના અનાજ માર્કેટમાં એકસાથે ૩ ગોડાઉનના તાળા તુટતા પંથકમાં ચકચાર મચી ગયો છે. આ ત્રણ પૈકી એક દુકાનમાંથી તસ્કરોએ 1 લેપટોપ અને ૩૫ હજાર રૂપીયા રોકડા ચોરી ફરાર થઈ ગયા છે. જ્યારે બીજા 2 ગોડાઉનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ મળ્યુ નથી.

author img

By

Published : May 19, 2019, 4:15 AM IST

દાહોદ અનાજ માર્કેટ

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે. બંધ મકાન, દુકાન, લારી, ગલ્લા વગેરેને તસ્કરો દ્વારા દિવસભર રેંકી કરી રાત્રીના સમયે નિશાન બનાવતા હોય છે. ત્યારે પ્રજાના હિતને ધ્યાને રાખી અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલિસ પણ રાત્રીમાં પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોક માગ ઉઠી રહી છે. જેથી તસ્કરોને મળતા મોકળા મેદાન પર રોક લગાવી શકાય.

દાહોદ અનાજ માર્કેટના ત્રણ ગોડાઉનમાં 70 હજારની ચોરી

દાહોદ અનાજ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મોતીલાલ દેવનાની, હકીમુદ્દીન જાદલીવાલા અને કિસાન સુવિધા કેન્દ્ર એમ ત્રણ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી શુક્રવારે રાત્રીના સમયે તાળા તોડ્યા હતા. જેમાં મોતીલાલ દેવનાનીના અનાજના ગોડાઉનમાંથી તસ્કરોએ 1 લેપટોપ જેની 35 હજાર રોકડા 35 હજાર રૂપીયા એમ બંને મળી 70 હજારની ચોરી કરી હતી. જ્યારે ઉપરોક્ત બીજા બે ગોડાઉનના પણ તાળા તોડ્યા હતા, પરંતુ ગોડાઉનમાંથી કંઈ ન મળી આવતા ચોરીનો આ બે દુકાનમાં પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.

આ મામલે મોતીલાલ દેવનાનીએ દાહોદ શહેર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી દાહોદ શહેર પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે. બંધ મકાન, દુકાન, લારી, ગલ્લા વગેરેને તસ્કરો દ્વારા દિવસભર રેંકી કરી રાત્રીના સમયે નિશાન બનાવતા હોય છે. ત્યારે પ્રજાના હિતને ધ્યાને રાખી અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલિસ પણ રાત્રીમાં પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોક માગ ઉઠી રહી છે. જેથી તસ્કરોને મળતા મોકળા મેદાન પર રોક લગાવી શકાય.

દાહોદ અનાજ માર્કેટના ત્રણ ગોડાઉનમાં 70 હજારની ચોરી

દાહોદ અનાજ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મોતીલાલ દેવનાની, હકીમુદ્દીન જાદલીવાલા અને કિસાન સુવિધા કેન્દ્ર એમ ત્રણ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી શુક્રવારે રાત્રીના સમયે તાળા તોડ્યા હતા. જેમાં મોતીલાલ દેવનાનીના અનાજના ગોડાઉનમાંથી તસ્કરોએ 1 લેપટોપ જેની 35 હજાર રોકડા 35 હજાર રૂપીયા એમ બંને મળી 70 હજારની ચોરી કરી હતી. જ્યારે ઉપરોક્ત બીજા બે ગોડાઉનના પણ તાળા તોડ્યા હતા, પરંતુ ગોડાઉનમાંથી કંઈ ન મળી આવતા ચોરીનો આ બે દુકાનમાં પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.

આ મામલે મોતીલાલ દેવનાનીએ દાહોદ શહેર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી દાહોદ શહેર પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_gj_dhd_02_18_may_chory_av_maheshdamor
દાહોદ અનાજ માર્કેટ ના ત્રણ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકી 35000 કરતા વધુ  મુદ્દામાલની ચોરી


દાહોદ ,દાહોદ  શહેરના અનાજ માર્કેટમાં એકસાથે ૩ ગોડાઉનના તાળા તુટતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ત્રણ પૈકી એક દુકાનમાંથી તસ્કરોએ એક લેપટોપ અને ૩૫,૦૦૦ હજાર રૂપીયા રોકડા ચોરી કરી લઈ ગયા છે  જ્યારે બીજા બે ગોડાઉનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યાે હતો પરંતુ આ બે ગોડાઉનમાંથી કંઈ ન મળતા વિલા મોઢે તસ્કરોને પરત ફરવું પડ્યુ હતુ.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધવા પામ્યો છે. બંધ મકાન,દુકાન,લારી,ગલ્લા વિગેરેને તસ્કરો દ્વારા દિવસભર રેંકી કરી રાત્રીના સમયે નિશાન બનાવતા હોય છે ત્યારે પ્રજાના હિતને ધ્યાને રાખી અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલિસ પણ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે જેથી તસ્કરોને મળતુ મોકળા મેદાન પર રોક લગાવી શકાય. દાહોદ અનાજ માર્કેટમાં પોતાના અનાજના ગોડાઉન ધરાવતા મોતીલાલ મીરચુમલ દેવનાની, હકીમુદ્દીન જાદલીવાલા એક કિસાન સુવિધા કેન્દ્ર એમ ત્રણ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી ગતરાત્રીના સમયે આ ત્રણેય ગોડાઉનના તાળા તોડ્યા હતા જેમાં મોતીલાલ મીરચુમલ દેવનાનીના અનાજના ગોડાઉનમાંથી તસ્કરોએ એક લેપટોપ કિંમત રૂ.૩૫,૦૦૦ અને રોકડા રૂપીયા ૩૫,૦૦૦ એમ ૭૦,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી જ્યારે ઉપરોક્ત બીજા બે ગોડાઉનના પણ તાળા તોડા હતા અને ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ ગોડાઉનમાંથી કઈ પણ મળી ન આવતા ચોરોની ચોરીનો આ બે દુકાનમાં પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.આ સંબંધે મોતીલાલ મીરચુમલ દેવનાની દ્વારા દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ શહેર પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.