કાર્યકર્તાઓને સંબોધતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ મર્યાદા ભૂલ્યા હતા અને PMને ‘તું-તું'થી સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પણ PM મોદી અને ભાજપને રાવણના વંશજ ગણાવ્યા હતા.
મહત્વનું છે કે, છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસે બોડેલી ખાતે કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહિત રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને પ્રભારી ભીખા રબારી હાજર રહ્યા હતા.