દુનિયાભરના લોકો અને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવો જોઈએ. બધાએ ભેગા મળીને એ લોકોના દુઃખ દર્દને સમજવુ જોઈએ, જે લોકો આતંકવાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અને તેને ખત્મ કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે જ હું કહી રહ્યો છું કે, સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કરવુ જોઈએ કે, આતંકવાદની પરિભાષા શુ છે ?
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ વર્ષોથી આ અંગે ચર્ચા કરી રહ્યા છે, અને આતંકવાદી જૂથોને અલગ કરવા માટે કાર્યવાહી સાથે આગળ વધવું જોઈએ.