ETV Bharat / state

આ સરકાર કૌભાંડી છે, હવે દૂધનું કૌભાંડ પણ આવશે સામેઃ હર્ષદ રિબડીયા

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ખાતર મુદ્દે વિવાદ હવે વધુ ઘેરાયો છે. GNFCના MD સુજીત ગુલાટીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઓછા ખાતર મુદ્દે લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની સામે કોંગ્રેસે પોતાના આકરા તેવર બતાવતા GNFC કંપનીના MD સહીત સરકારના અધિકારીઓને પણ ફિક્સમાં મૂકી દીધા છે.

author img

By

Published : May 14, 2019, 1:59 PM IST

GNFC

કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ GNFCના MDના ખુલાસાનું ખંડન કરતાં કહ્યું કે, કંપનીના MD દ્વારા અધુરી માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી છે. તેમના દ્વારા માત્ર 16 લાખ રૂપિયાનો ગોટાળો બતાવવામાં આવે છે, પરંતુ દરેક ખાતરની થેલીએ 20 રૂપિયાનું કૌભાંડ ગણવામાં આવે તો પણ 200 કરોડનું કૌભાંડ થયું છે.

વધુમાં કહ્યું કે, સરકાર આગામી દસ દિવસમાં યોગ્ય તપાસ નહીં કરે તો અમે પોતે ફરિયાદી બનીને કંપનીના MD સહિત અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરીશું.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખાતર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે. ધોરાજી અને ઉપલેટામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ખાતરની થેલીઓમાં વજન ઓછું મળ્યું હતું. જેને GNFCના MD દ્વારા આ સમગ્ર બાબતને સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, આ સરકાર કૌભાંડી છે. તુવેર કાંડ, મગફળી કાંડ અને હવે ખાતર કાંડ થયું છે. સરકાર ખેડૂતોનું લોહી ચૂસવાનું બંધ કરે. જ્યાં સુધી અધિકારીઓ સામે પગલાં લેવામાં નહી આવે, ત્યાં સુધી અમારા દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે, આગામી દિવસોમાં પશુઓને આપવામાં આવતા ખાણમાં પણ કૌભાંડ સામે આવશે. સરકારે સોમવારે GNFCના MDને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સરકાર માત્ર મીડિયાના માધ્યમથી કહે છે કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ તેમની પણ વાત સાચી છે તો એક પણ ચમરબંધીને પકડતી નથી. થોડા સમય પછી દૂધનું પણ કૌભાંડ હવે સામે આવશે. આ સરકાર કૌભાંડોની સરકાર છે. ત્યારે આગામી દસ દિવસમાં સરકાર કૌભાંડીઓ સામે પગલાં નહીં ભરે તો GNFCના MD સહિતના અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

તમામ ધારાસભ્યો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

કોંગ્રેસે પોતાના આકરા તેવર બતાવતા GNFC કંપનીના MD સહીત સરકાર કર્યા પ્રહાર

કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ GNFCના MDના ખુલાસાનું ખંડન કરતાં કહ્યું કે, કંપનીના MD દ્વારા અધુરી માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી છે. તેમના દ્વારા માત્ર 16 લાખ રૂપિયાનો ગોટાળો બતાવવામાં આવે છે, પરંતુ દરેક ખાતરની થેલીએ 20 રૂપિયાનું કૌભાંડ ગણવામાં આવે તો પણ 200 કરોડનું કૌભાંડ થયું છે.

વધુમાં કહ્યું કે, સરકાર આગામી દસ દિવસમાં યોગ્ય તપાસ નહીં કરે તો અમે પોતે ફરિયાદી બનીને કંપનીના MD સહિત અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરીશું.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખાતર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે. ધોરાજી અને ઉપલેટામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ખાતરની થેલીઓમાં વજન ઓછું મળ્યું હતું. જેને GNFCના MD દ્વારા આ સમગ્ર બાબતને સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, આ સરકાર કૌભાંડી છે. તુવેર કાંડ, મગફળી કાંડ અને હવે ખાતર કાંડ થયું છે. સરકાર ખેડૂતોનું લોહી ચૂસવાનું બંધ કરે. જ્યાં સુધી અધિકારીઓ સામે પગલાં લેવામાં નહી આવે, ત્યાં સુધી અમારા દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે, આગામી દિવસોમાં પશુઓને આપવામાં આવતા ખાણમાં પણ કૌભાંડ સામે આવશે. સરકારે સોમવારે GNFCના MDને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સરકાર માત્ર મીડિયાના માધ્યમથી કહે છે કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ તેમની પણ વાત સાચી છે તો એક પણ ચમરબંધીને પકડતી નથી. થોડા સમય પછી દૂધનું પણ કૌભાંડ હવે સામે આવશે. આ સરકાર કૌભાંડોની સરકાર છે. ત્યારે આગામી દસ દિવસમાં સરકાર કૌભાંડીઓ સામે પગલાં નહીં ભરે તો GNFCના MD સહિતના અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

તમામ ધારાસભ્યો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

કોંગ્રેસે પોતાના આકરા તેવર બતાવતા GNFC કંપનીના MD સહીત સરકાર કર્યા પ્રહાર
Intro:હેડિંગ) ખાતર મુદ્દે તપાસ નહીં થાય તો જીએનએફસીના MD સહિતના અધિકારીઓ પર ફોજદારી કેસ દાખલ કરાશે

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં ખાતર મુદ્દે વિવાદ હવે વધુ ઘેરાયો છે. જીએનએફસીના એમડી સુજીત ગુલાટીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઓછા ખાતર મુદ્દે લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની સામે કોંગ્રેસે પોતાના આકરા તેવર બતાવતા જીએનએફસી કંપનીના એમડી સહીત સરકારના અધિકારીઓને પણ ફિક્સ માં મૂકી દીધા છે. કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જી.એન.એફ.સીના એમડીના ખુલાસાનું ખંડન કરતાં કહ્યું કે, કંપનીના એમડી દ્વારા અધુરી માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી છે તેમના દ્વારા માત્ર 16 લાખ રૂપિયાનો ગોટાળો બતાવવામાં આવે છે પરંતુ દરેક ખાતરની થેલી એ 20 રૂપિયાનું કૌભાંડ ગણવામાં આવે તો પણ 200 કરોડનું કૌભાંડ થયું છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી દસ દિવસમાં યોગ્ય તપાસ નહીં કરે તો અમે પોતે ફરિયાદી બનીને કંપનીના એમડી સહિત અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરીશું.


Body:ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખાતર કૌભાંડ બહાર લાવવામાં આવ્યુ છે. ધોરાજીના ઉપલેટામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ખાતરની થેલીઓમાં વજન ઓછું મળ્યું હતું. જેને જીએનએફસીના એમડી દ્વારા આ સમગ્ર બાબતને સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, આ સરકાર કૌભાંડી છે તુવર કાડ મગફળીકાંડ અને હવે ખાતર કાંડ થયું છે. સરકાર ખેડૂતો નું લોહી ચૂસવાનું બંધ કરે. જ્યાં સુધી અધિકારીઓ સામે પગલાં લેવામાં નહી આવે ત્યાં સુધી અમારા દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે.


Conclusion:જ્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે, આગામી દિવસોમાં પશુઓને આપવામાં આવતા ખાણમાં પણ કૌભાંડ સામે આવશે. સરકારે સોમવારે જીએસએફસીના એમડીને બચાવવા માટે ભેંસ કોન્ફરન્સ કરી હતી. સરકાર માત્ર મીડિયાના માધ્યમથી કહે છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ તેમની પણ વાત સાચી છે એક પણ ચમરબંધીને પકડતી નથી. થોડા સમય પછી દૂધનું પણ કૌભાંડ હવે સામે આવશે, આ સરકાર કૌભાંડોની સરકાર છે. ત્યારે આગામી દસ દિવસમાં સરકાર કૌભાંડીઓ સામે પગલાં નહીં ભરે તો જીએનએફસીના એમડી સહિતના અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

તમામ ધારાસભ્યો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારબાદ સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.