- હનુમાનજી ને 21 કિલો સોનાના આભૂષણોના શણગાર કરવામાં આવ્યો
- 100થી વધારે સોના,ચાંદીના હાર
- હનુમાનજી મંદિરે અલગ-અલગ ત્યોહાર કરવામાં આવે છે કાર્યક્રમ
બોટાદઃ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને વિવિધ અલગ-અલગ પ્રકારના 21 કિલો સોનાના આભૂષણો ધરવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધારે સોના ચાંદીના હાર નેકલ્સ, ચેન સાથે 11 જોડી સોના ચાંદીના કુંડળ, 8 સોના ચાંદીના હીરા જડિત હાર, કનવ મુગટના આભુષણો ધરવામાં આવ્યા હતા.
![કષ્ટભંજન હનુમાનજીને 21 કિલો સોનાના આભૂષણો ધરવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10070516_1.jpg)
હનુમાનજી મંદિરમાં અલગ-અલગ કાર્યક્રમ
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મંદિર રોજના ખુબજ મોટી સખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે અને હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોવાથી અલગ-અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોઈ છે.
21 કિલો સોના -ચાંદીના આભુષણનો દિવ્ય શણગાર
સળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 21 કિલો સોના-ચાંદીના આભુષણનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર ધનુર માસ અને પૂનમ નિમિતે શાસ્ત્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી મંગળા આરતી તથા શણગાર કરવામાં આવ્યો હતો.
ક્યા આભુષણોનો થોયો હતો સમાવેશ
21 કિલો સુવર્ણ શણગાર અંતર્ગત 100 થી વધારે સોના-ચાંદીના હાર, નેકલેસ અને ચેન, 11 જોડી સોના-ચાંદીના કુંડલ, 8 સોના-ચાંદી હીરા જડિત મુગટ, 500 સોના ચાંદીની વીટી, 300 કડલા, 1 સપૂર્ણ સોનાનો વાઘો, 1 ચાંદીનો વાઘો, 5 સુવર્ણ જડિત રુદ્રાક્ષ માળા, 2 ચાંદી જડિત આંકડાની માળા આભુષણો ધરાવવામાં આવ્યા છે અને ભક્તોએ દાદાના સોના જડિત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.