બોટાદઃ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ગઢડા મંદિર દ્વારા આજે પુ.આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ઉજવણી ભાવ્પુવક કરવામાં આવી, આજે ગઢડા મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજાનો ભવ્ય પાટોત્સવ ઉજવામાં આવ્યો સાથે સાથે ત્રણ કરોડના ખર્ચે બનનાર મંદિરના મુખ્ય ગેટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ મંદિર ખાતે આવતા ભક્તો અને ભાવિકો માટેના જનરલ ભોજનાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, આ ભોજનાલયમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ભોજન લઇ શકે તેવું ફાઈવ સ્ટાર પ્રકારના ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ સાથે સાથે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા,આ સાથે સાથે આગામી સમયમાં ગઢડા ખાતે યોજાનાર વચનામૃત દ્વિસતાપ્દી મહોત્સવના બેનરનું અનાવરણ પણ પુ.આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું.