બોટાદ: પંકજકુમારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બોટાદના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કરીને આ વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટેની માર્ગદર્શિકાનું કેવું પાલન થાય છે તેની વિગતો મેળવી હતી.
બોટાદ જિલ્લાના વહીવટી તંત્રની અસરકારક કામગીરીથી કોરોના નિયંત્રણમાં છે. ગઈકાલે બોટાદમાં કોરોનાના ચાર દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યો હતો. અત્યારે બોટાદમાં ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘેર ગયાં છે.