ETV Bharat / state

Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા

author img

By

Published : Mar 25, 2022, 8:53 PM IST

ગુજરાત શિક્ષણ વિભાગે ભગવત ગીતાનો શિક્ષણમાં સમાવેશ (Inclusion of Bhagwat Gita in education)કર્યો છે. ભાવનગર શહેરમાં સંસ્કૃત શિક્ષકો કેટલા છે?. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સંસ્કૃતના શિક્ષકોની (Sanskrit teachers in Bhavnagar)ઘટ છે. ત્યારે સમિતિ ભાષાના એટલે કે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી વિષયના ભાષાના શિક્ષકોને તૈયાર કરવા માંગે છે.

Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા
Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા

ભાવનગર: શહેરમાં આવેલી મહાનગરપાલિકાની શાળાઓમાં ભગવત ગીતાના (Bhavnagar Municipal Corporation )પાઠન બાદ શિક્ષણ સમિતિઓમાં કાર્યવાહી આદરી દેવામાં આવી છે. પરંતુ શાળાઓમાં સંસ્કૃતના શિક્ષકો કેટલા ? સંસ્કૃતથી ફાયદો શું ? દરેક સવાલો અંતે અમે આ ખાસ અહેવાલ બનાવ્યો છે જાણો.

ભગવત ગીતાનો શિક્ષણમાં સમાવેશ

શાળામાં શિક્ષકોની સંખ્યા - ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ભગવત ગીતાને શિક્ષણમાં સમાવેશ (Inclusion of Bhagwat Gita in education)કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સંસ્કૃત શિક્ષકો કેટલા ? આ સવાલ વચ્ચે શિક્ષણ સમિતિની કુલ શાળામાં શિક્ષકોની(Gujarat Education Department)સંખ્યા અને સંસ્કૃત શિક્ષકો ભગવત ગીતાના આગમનથી શું ફાયદો તે જાણવાની કોશિશ ETV Bharat એ કરી છે. જાણો સંપૂર્ણ વિગત.

શિક્ષણ સમિતિની શાળામાં કુલ શિક્ષક અને સંસ્કૃત શિક્ષકની સ્થિતિ - ભાવનગર મહાનગરપાલિકાની 55 શાળાઓ છે. આ શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 708 શિક્ષકોનું છે. જેમાં 599 શિક્ષકો છે. 109 ઘટમાં 63 પ્રવાસી શિક્ષકની ભરતી (Decline of Sanskrit teachers)કરવામાં આવેલી છે. આમ 709 કુલમાંથી પણ હજુ 43 શિક્ષકોની ઘટ હાલમાં તો છે જ ત્યારે હવે વાત કરીએ સંસ્કૃત શિક્ષકોની તો શિક્ષણ સમિતિની શાળામાં ભાષા અંતર્ગત સંસ્કૃત શિક્ષકો 21 માત્ર છે. જેમાં HTAT 5 શિક્ષકો આચાર્ય છે. એટલે રહ્યા માત્ર 55 શાળા વચ્ચે 16 શિક્ષકો. શાસનાધિકારી યોગેશ ભટ્ટનું હેવું છે કે ભાષાના કુલ 123 શિક્ષકો છે. સંસ્કૃત માટે અમે હાલમાં ચિન્મય મિશનનો લાભ મેળવી દરેક ભાષાના શિક્ષકોને ભાગવત ગીતા માટે તાલીમ આપવા કોશિશ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ ધાર્મિક સાહિત્યની માગ વધી, ગીતા પ્રેસમાં દરરોજ 50,000થી વધુ નકલો છપાય છે

સંસ્કૃતમાં ભાગવત ગીતાના પાઠ ભણાવવા માટે શિક્ષકોના મત અને શું ફાયદો - ભાવનગર શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં સંસ્કૃતના શિક્ષકોની ઘટ છે. ત્યારે સમિતિ ભાષાના એટલે કે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી વિષયના ભાષાના શિક્ષકોને તૈયાર કરવા માંગે છે. શિક્ષક સાગરભાઈ દવેએ જણાવ્યું હતું કે ભગવત ગીતાના પાઠ કરાવવા માટે શિક્ષકો હૃદયથી કરાવે તે જરૂરી છે. ભગવત ગીતાથી ફાયદો એ થશે કે વ્યક્તિત્વ શું છે અને જીવન જીવવાની શૈલી વિશે બાળકો જાણકારી મેળવશે તેથી ભવિષ્યમાં તેમનું જીવન સુખમય બનશે.

પ્રાથમિક શિક્ષક સંઘે ભગવત ગીતા વિશે આપ્યો શું મત- ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે શિક્ષકો માટે ચિંતા નથી કારણ કે ભાષાના શિક્ષકો છે જેને સંસ્કૃતમાં રુચિ અને શિક્ષા મેળવેલી હોઈ જ છે. સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. જોનકે શિક્ષક સંઘ અને શિક્ષકો ભગવત ગીતાને સમાવવા બદલ આનંદિત છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ હમેશા તેમના પ્રેરણા રૂપે ગીતાને જોઈ છે.ત્યારે આપણા ભારતવાસીઓ માટે ગીતા એક ગ્રંથ નહિ વિકાસનું મૂળ જરૂર માની શકાય.

આ પણ વાંચોઃ Bhagavad Gita Seminar Bhavnagar: ભાગવત શીખવવા પહેલા શિક્ષક બનશે વિદ્યાર્થી, સેમિનારનું આયોજન

ભાવનગર: શહેરમાં આવેલી મહાનગરપાલિકાની શાળાઓમાં ભગવત ગીતાના (Bhavnagar Municipal Corporation )પાઠન બાદ શિક્ષણ સમિતિઓમાં કાર્યવાહી આદરી દેવામાં આવી છે. પરંતુ શાળાઓમાં સંસ્કૃતના શિક્ષકો કેટલા ? સંસ્કૃતથી ફાયદો શું ? દરેક સવાલો અંતે અમે આ ખાસ અહેવાલ બનાવ્યો છે જાણો.

ભગવત ગીતાનો શિક્ષણમાં સમાવેશ

શાળામાં શિક્ષકોની સંખ્યા - ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ભગવત ગીતાને શિક્ષણમાં સમાવેશ (Inclusion of Bhagwat Gita in education)કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સંસ્કૃત શિક્ષકો કેટલા ? આ સવાલ વચ્ચે શિક્ષણ સમિતિની કુલ શાળામાં શિક્ષકોની(Gujarat Education Department)સંખ્યા અને સંસ્કૃત શિક્ષકો ભગવત ગીતાના આગમનથી શું ફાયદો તે જાણવાની કોશિશ ETV Bharat એ કરી છે. જાણો સંપૂર્ણ વિગત.

શિક્ષણ સમિતિની શાળામાં કુલ શિક્ષક અને સંસ્કૃત શિક્ષકની સ્થિતિ - ભાવનગર મહાનગરપાલિકાની 55 શાળાઓ છે. આ શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 708 શિક્ષકોનું છે. જેમાં 599 શિક્ષકો છે. 109 ઘટમાં 63 પ્રવાસી શિક્ષકની ભરતી (Decline of Sanskrit teachers)કરવામાં આવેલી છે. આમ 709 કુલમાંથી પણ હજુ 43 શિક્ષકોની ઘટ હાલમાં તો છે જ ત્યારે હવે વાત કરીએ સંસ્કૃત શિક્ષકોની તો શિક્ષણ સમિતિની શાળામાં ભાષા અંતર્ગત સંસ્કૃત શિક્ષકો 21 માત્ર છે. જેમાં HTAT 5 શિક્ષકો આચાર્ય છે. એટલે રહ્યા માત્ર 55 શાળા વચ્ચે 16 શિક્ષકો. શાસનાધિકારી યોગેશ ભટ્ટનું હેવું છે કે ભાષાના કુલ 123 શિક્ષકો છે. સંસ્કૃત માટે અમે હાલમાં ચિન્મય મિશનનો લાભ મેળવી દરેક ભાષાના શિક્ષકોને ભાગવત ગીતા માટે તાલીમ આપવા કોશિશ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ ધાર્મિક સાહિત્યની માગ વધી, ગીતા પ્રેસમાં દરરોજ 50,000થી વધુ નકલો છપાય છે

સંસ્કૃતમાં ભાગવત ગીતાના પાઠ ભણાવવા માટે શિક્ષકોના મત અને શું ફાયદો - ભાવનગર શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં સંસ્કૃતના શિક્ષકોની ઘટ છે. ત્યારે સમિતિ ભાષાના એટલે કે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી વિષયના ભાષાના શિક્ષકોને તૈયાર કરવા માંગે છે. શિક્ષક સાગરભાઈ દવેએ જણાવ્યું હતું કે ભગવત ગીતાના પાઠ કરાવવા માટે શિક્ષકો હૃદયથી કરાવે તે જરૂરી છે. ભગવત ગીતાથી ફાયદો એ થશે કે વ્યક્તિત્વ શું છે અને જીવન જીવવાની શૈલી વિશે બાળકો જાણકારી મેળવશે તેથી ભવિષ્યમાં તેમનું જીવન સુખમય બનશે.

પ્રાથમિક શિક્ષક સંઘે ભગવત ગીતા વિશે આપ્યો શું મત- ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે શિક્ષકો માટે ચિંતા નથી કારણ કે ભાષાના શિક્ષકો છે જેને સંસ્કૃતમાં રુચિ અને શિક્ષા મેળવેલી હોઈ જ છે. સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. જોનકે શિક્ષક સંઘ અને શિક્ષકો ભગવત ગીતાને સમાવવા બદલ આનંદિત છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ હમેશા તેમના પ્રેરણા રૂપે ગીતાને જોઈ છે.ત્યારે આપણા ભારતવાસીઓ માટે ગીતા એક ગ્રંથ નહિ વિકાસનું મૂળ જરૂર માની શકાય.

આ પણ વાંચોઃ Bhagavad Gita Seminar Bhavnagar: ભાગવત શીખવવા પહેલા શિક્ષક બનશે વિદ્યાર્થી, સેમિનારનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.