ETV Bharat / state

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ, પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા - ગુનાખોરી

ભાવનગરઃ શહેરમાં સામુહિક હત્યાકાંડનો હ્દયદ્રાવક બનાવ બન્યો છે. નવી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ પુત્રોની ભારે બેરહેમીપૂર્વક હત્યા કરી છે. ઘરના કંકાશથી કંટાળી જઈ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તેમજ ઘટનાની ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે.

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ : પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા
author img

By

Published : Sep 1, 2019, 9:23 PM IST

ભાવનગર DSP કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે બપોરના સમયે ઘરમાં કંકાશ થયો હતો. જેનો ગુસ્સો સુખદેવે પોતાના જ માસુમ બાળકો પર ઉતાર્યો હતો.ગુસ્સો એટલી હદે હતો કે, સુખદેવે તેના ત્રણેય બાળકોના ગળા તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખ્યા હતાં. ત્રણેય બાળકોએ તેની નજર સામે તરફડીયા મારી જીવ ગુમાવ્યો હતો.

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ : પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા

33 વર્ષિય પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાજાભાઈ શિયાળને પત્ની સાથે અણબનાવના કારણે ઉગ્ર ઝઘડો થયો હતો. વારંવાર થતા કંકાસથી કંટાળી જઈ તેની પત્ની પિયરમાં રિસામણે જતી રહી હતી. બે દિવસ પૂર્વે તે પરત સાસરીમાં આવી હતી. રવિવારે બપોરના સમયે પતિ પત્ની વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થતાં ક્રોધે ભરાયેલ સુખદેવએ તેની પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યારપછી તેના સૌથી મોટા પુત્ર 7 વર્ષિય ખુશાલ, 5 વર્ષિય ઉદ્દભવ તથા 3 વર્ષિય મનોનીતને વારાફરતી ડ્રોઈંગ રૂમમાં લાવી તીક્ષણ હથિયાર વડે બે રહેમીપુર્વક ગળુ કાપી કરપીણ હત્યા કરી હતી, એટલુ જ નહી તેણે જાતે જ પોલીસને કોલ કરી પોતે આચરેલા કૃત્યની જાણ કરી હતી. કોલ આવતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

bvn
આરોપી પોલીસ કોન્સ્ટેબલ

પોલીસે હાલમાં હત્યારા બાપને પકડી લીધો છે. ઝઘડાનું કારણ શું હતુ તે પતિ -પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું બહાર આવ્યુ છે. લોહીના ખાબોચીયામાં પડેલી માસુમોના મૃતદેહ જોઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હ્દયદ્રાવક અને કાળજુ કંપાવનારા બનાવથી પોલીસ અને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા છે. સૌ કોઈ આ પોલીસ કોન્સ્ટેબલ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ : પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ડીઆઈજી અશોક યાદવ, ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષ ઠાકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ભાવનગર DSP કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે બપોરના સમયે ઘરમાં કંકાશ થયો હતો. જેનો ગુસ્સો સુખદેવે પોતાના જ માસુમ બાળકો પર ઉતાર્યો હતો.ગુસ્સો એટલી હદે હતો કે, સુખદેવે તેના ત્રણેય બાળકોના ગળા તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખ્યા હતાં. ત્રણેય બાળકોએ તેની નજર સામે તરફડીયા મારી જીવ ગુમાવ્યો હતો.

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ : પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા

33 વર્ષિય પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાજાભાઈ શિયાળને પત્ની સાથે અણબનાવના કારણે ઉગ્ર ઝઘડો થયો હતો. વારંવાર થતા કંકાસથી કંટાળી જઈ તેની પત્ની પિયરમાં રિસામણે જતી રહી હતી. બે દિવસ પૂર્વે તે પરત સાસરીમાં આવી હતી. રવિવારે બપોરના સમયે પતિ પત્ની વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થતાં ક્રોધે ભરાયેલ સુખદેવએ તેની પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યારપછી તેના સૌથી મોટા પુત્ર 7 વર્ષિય ખુશાલ, 5 વર્ષિય ઉદ્દભવ તથા 3 વર્ષિય મનોનીતને વારાફરતી ડ્રોઈંગ રૂમમાં લાવી તીક્ષણ હથિયાર વડે બે રહેમીપુર્વક ગળુ કાપી કરપીણ હત્યા કરી હતી, એટલુ જ નહી તેણે જાતે જ પોલીસને કોલ કરી પોતે આચરેલા કૃત્યની જાણ કરી હતી. કોલ આવતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

bvn
આરોપી પોલીસ કોન્સ્ટેબલ

પોલીસે હાલમાં હત્યારા બાપને પકડી લીધો છે. ઝઘડાનું કારણ શું હતુ તે પતિ -પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું બહાર આવ્યુ છે. લોહીના ખાબોચીયામાં પડેલી માસુમોના મૃતદેહ જોઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હ્દયદ્રાવક અને કાળજુ કંપાવનારા બનાવથી પોલીસ અને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા છે. સૌ કોઈ આ પોલીસ કોન્સ્ટેબલ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

ભાવનગરમાં પતિ-પત્નીના કંકાસનો કરૂણ અંજામ : પિતાએ ત્રણ પુત્રોને રહેંસી નાંખ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ડીઆઈજી અશોક યાદવ, ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષ ઠાકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Intro:એપૃવલ :વિહાર સર
નોંધ :હિન્દી બાઈટ માટે ગયો હતો પણ વાર લાગે એમ હતું એટલે મેનેજ બાઈટ મોકલી આપેલ છે સર

પતિ-પત્ની ના કંકાસ નો કરૂણ અંજામ :ત્રણ માસુમ બાળકો ની ગળા કાપી કરી હત્યા*

સમગ્ર બનાવ ને લઈને ભાવનગર માં ચકચાર

Body:ભાવનગર શહેર ના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક રાક્ષસી હેવાને ઘર કંકાસ ને લઈને પોતાના જ ત્રણ બાળકો ની બે રહેમી પૂવૅક હત્યા કરી નાખતા આ પીચાશી પિતા વિરુદ્ધ લોકો ફીટકાર વરસાવી રહ્યા છેConclusion:ભાવનગર શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા નું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ દિવસે ને દિવસે ભારે ગુના ખોરી માઝા મુકી રહી છે લૂંટ, હત્યા, મારામારી, ચોરી સહિત ફાયરિંગ જેવી ઘટનાઓ ને ધોળા દિવસે અંજામ આપી બિન્દાસ ફરી રહ્યા છે આવી અપરાધીક ઘટના ઓ ની સતત થઇ રહેલી વૃદ્ધિ ના કારણે ભાવનગર મિની બિહાર જેવું બની રહ્યું છે તાજેતરમાં જ બબ્બે ફાયરિંગ નિ ઘટના જીવલેણ હુમલાઓ જેવી ઘટનાઓ નો શોર શાંત થયો નથી ત્યાં જ કાયદાના રક્ષકે પોતાના જ ત્રણ માસુમ બાળકો ની ભારે ખુન્નસ પૂવૅક તિક્ષ્ણ હથિયાર વડે ગદૅન કાપી હત્યા કરી નાખતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે આ દુઃખદ ઘટના અંગે પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર ભાવનગર શહેર ના હેડક્વાર્ટર માં અનામૅ પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઈ શિયાળ ઉ.વ.33 ને થોડા સમયથી તેની પત્ની સાથે અણબનાવ ને લઈને ઉગ્ર ઝઘડો થતાં હોય આ કંકાસ થી કંટાળી જઈને તેઓ તેમના પિયર રિસામણે જતાં રહ્યાં હતાં અને બે દિવસ પૂર્વે જ પરત સાસરીમાં આવ્યાં હતાં આજે રવિવારે બપોરના સમયે પતિ પત્ની વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થતાં ક્રોધે ભરાયેલ સુખદેવ એ તેની પત્ની ને રૂમ માં બંધ કરી તેના સૌથી મોટા પુત્ર ખુશાલ ઉ.વ.7,ઉધ્ધવ ઉ.વ.5,તથા મનોનીત ઉ.વ.3 ને વારાફરતી ડ્રોઈંગ રૂમમાં લાવી તીક્ષણ હથિયાર વડે બે રહેમી પૂવૅક ગદૅન કાપી ત્રણેય પુત્રો ની હત્યા કરી હતી ત્યારબાદ તેણે પોલીસને કોલ કરી તેણે આચરેલ કૃત્ય ની જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ ઘટના ની ગંભીરતા ને ધ્યાને લઇ ડીઆઈજી અશોક યાદવ ડીએસપી જયપાલ સિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષ ઠાકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેય કમ નસીબ બાળકોના મૃતદેહ નો કબ્જો લઈ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના ને પગલે હત્યારા પોલીસ કોન્સ્ટેબલ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે

બાઈટ : મનીષ ઠાકર (સીટી ડીવાયએસપી , ભાવનગર)
બાઈટ :મનીષ ઠાકર (સીટી દિવાયાએસપી ,ભાવનગર હિન્દી બાઈટ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.