ETV Bharat / state

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી

author img

By

Published : Aug 26, 2020, 5:31 PM IST

Updated : Aug 26, 2020, 7:24 PM IST

ભારતમાં 5 હજાર વર્ષ પહેલા એટલે કે ભગવાન રામના સમયથી ચાલી આવતી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મહામારીમાં લોકોને ક્યાંક સમજાઈ ગઈ છે. એલોપેથીથી જ્યાં ઉપચાર નથી ત્યારે રોગ સામે સંરક્ષણ પૂરું પાડતી આયુર્વેદ ઉપચારની માગ વધી ગઈ છે. ભાવનગરની ઊંડી વખારમાં 40 ટકાથી લઈને 50 ટકા સુધી આયુર્વેદ ઓસડિયાની માગ વધી છે.

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ

ભાવનગર : ભારતની માતૃ ચિકિત્સા પદ્ધતિ કોરોના જેવા રોગને શરીરમાં પ્રવેશ કરવા દેતી નથી. લોકો કોરોના મહામારીથી બચવા માટે ઉકાળા અને ઓસડિયાનો સહારો લઇ રહ્યા છે. જેથી લોકો પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે.

આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
ભારતની સંસ્કૃતિમાં ભગવાન રામ સમયથી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ રહી છે. ત્યારે ભાવનગરમાં કોરોના જેવી મહામારીમાં ફરી 5 હજાર વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ શ્રેષ્ઠ સાબિત થઈ છે. વાઇરસ ગમે તેવો હોઈ પણ આયુર્વેદ દવાઓ હંમેશા ઝેરને પણ મારવામાં સાબિત થઈ છે. હાલમાં કોરોના મહામારીમાં ભાવનગરની ઊંડી વખરમાં ઓસડીયાઓની માગ 40 ટકાથી વધુ થઈ ગઈ છે. લોકો સ્વૈચ્છીક એલોપેથી ત્યાજીને હવે આયુર્વેદ ઉપચાર લઇ રહ્યા છે.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
ગુજરાતીમાં કહેવત છે કે, ઉતાવળે આંબે કેરી ના પાકે...હા એવું મનુષ્ય જીવનમાં પણ છે. એલોપેથી દવાથી ઉતાવળે રોગ મટાડીને ઝડપી યુગમાં સ્વસ્થ જીવનની આશા રાખતા મનુષ્યોને ખ્યાલ આવી ગયો છે કે, આયુર્વેદ સિવાય આ પૃથ્વી પર શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ નથી. હાલ કોરોના મહામારીમાં ભાવનગરની ઊંડી વખારમાં લોકોની આયુર્વેદ ઓસડિયાની માગ વધી ગઈ છે. ઊંડી વખારમાં તૈયાર ઉકાળાઓ પણ મળી રહ્યા છે, તો છુટ્ટક ઓસડિયા પણ મળી રહ્યા છે. ઓસડિયાની કિંમત દવા કરતા ઓછી છે. એલોપેથી દવાથી કંટાળી ગયેલા લોકો વર્ષોથી આયુર્વેદ દવા તરીકે સ્વીકારીને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, રામના સમયથી આપણી પાસે ચિકિત્સા પદ્ધતિ છે જેનો ઉપયોગ માત્ર આપણે કરવો જોઈએ.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
શહેરની ઊંડી વખારમાં આવેલી દુકાનો ઉપર ભીડ જોવા મળે છે. દુકાનદારો છુટ્ટા ઓસડિયા અને ઉકાળાનો તૈયાર સામગ્રીનો મસાલાઓ પણ વહેંચી રહ્યા છે. ઊંડી વખારમાં ઓસડીયા લેનાર વર્ગ ખૂબ ઓછો હતો પરંતુ કોરોના મહામારી અને વેક્સીન નહીં બની હોવાથી લોકોને પોતાના જીવને બચાવવા ચિકિત્સા પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેના પગલે બજારમાં થતા વેપારમાં 50 ટકા ઉછાળો આવ્યો છે, એટલે આયુર્વેદ તરફ 50 ટકા લોકો વળી ગયા છે. સૂંઠ,મરી,હરડે,તજ અને લવિંગ જેવી વસ્તુઓની માગ ખૂબ વધી ગઇ છે.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા

આયુર્વેદ શાસ્ત્રમાં ઓસડિયાઓ માત્ર ઉપચાર પૂરતા સીમિત નથી ઉપરાંત તેની કોઈ આડઅસર પણ નથી થતી. તો આ સાથે શરીરની રોગપ્રતિકાર શક્તિમાં વધારો પણ કરે છે. લોકોની માનસિકતા ઝડપથી બદલાઇ છે તેના કારણે લોકો એલોપેથી તરફ વળ્યા છે. જો કે, આયુર્વેદ ડૉક્ટરનું માનવું છે કે, આયુર્વેદમાં સમય લાગે છે પણ શરીરના મૂળમાંથી રોગને ખત્મ કરી દે છે. ઝડપી યુગની દોડમાં મનુષ્ય શરીરને પણ ઝડપી બનાવવાની કોશિશમાં લાગી ગયો છે.

જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી

ભાવનગર : ભારતની માતૃ ચિકિત્સા પદ્ધતિ કોરોના જેવા રોગને શરીરમાં પ્રવેશ કરવા દેતી નથી. લોકો કોરોના મહામારીથી બચવા માટે ઉકાળા અને ઓસડિયાનો સહારો લઇ રહ્યા છે. જેથી લોકો પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે.

આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
ભારતની સંસ્કૃતિમાં ભગવાન રામ સમયથી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ રહી છે. ત્યારે ભાવનગરમાં કોરોના જેવી મહામારીમાં ફરી 5 હજાર વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ શ્રેષ્ઠ સાબિત થઈ છે. વાઇરસ ગમે તેવો હોઈ પણ આયુર્વેદ દવાઓ હંમેશા ઝેરને પણ મારવામાં સાબિત થઈ છે. હાલમાં કોરોના મહામારીમાં ભાવનગરની ઊંડી વખરમાં ઓસડીયાઓની માગ 40 ટકાથી વધુ થઈ ગઈ છે. લોકો સ્વૈચ્છીક એલોપેથી ત્યાજીને હવે આયુર્વેદ ઉપચાર લઇ રહ્યા છે.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
ગુજરાતીમાં કહેવત છે કે, ઉતાવળે આંબે કેરી ના પાકે...હા એવું મનુષ્ય જીવનમાં પણ છે. એલોપેથી દવાથી ઉતાવળે રોગ મટાડીને ઝડપી યુગમાં સ્વસ્થ જીવનની આશા રાખતા મનુષ્યોને ખ્યાલ આવી ગયો છે કે, આયુર્વેદ સિવાય આ પૃથ્વી પર શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ નથી. હાલ કોરોના મહામારીમાં ભાવનગરની ઊંડી વખારમાં લોકોની આયુર્વેદ ઓસડિયાની માગ વધી ગઈ છે. ઊંડી વખારમાં તૈયાર ઉકાળાઓ પણ મળી રહ્યા છે, તો છુટ્ટક ઓસડિયા પણ મળી રહ્યા છે. ઓસડિયાની કિંમત દવા કરતા ઓછી છે. એલોપેથી દવાથી કંટાળી ગયેલા લોકો વર્ષોથી આયુર્વેદ દવા તરીકે સ્વીકારીને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, રામના સમયથી આપણી પાસે ચિકિત્સા પદ્ધતિ છે જેનો ઉપયોગ માત્ર આપણે કરવો જોઈએ.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા
શહેરની ઊંડી વખારમાં આવેલી દુકાનો ઉપર ભીડ જોવા મળે છે. દુકાનદારો છુટ્ટા ઓસડિયા અને ઉકાળાનો તૈયાર સામગ્રીનો મસાલાઓ પણ વહેંચી રહ્યા છે. ઊંડી વખારમાં ઓસડીયા લેનાર વર્ગ ખૂબ ઓછો હતો પરંતુ કોરોના મહામારી અને વેક્સીન નહીં બની હોવાથી લોકોને પોતાના જીવને બચાવવા ચિકિત્સા પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેના પગલે બજારમાં થતા વેપારમાં 50 ટકા ઉછાળો આવ્યો છે, એટલે આયુર્વેદ તરફ 50 ટકા લોકો વળી ગયા છે. સૂંઠ,મરી,હરડે,તજ અને લવિંગ જેવી વસ્તુઓની માગ ખૂબ વધી ગઇ છે.
આયુર્વેદ ઓસડીયા
આયુર્વેદ ઓસડીયા

આયુર્વેદ શાસ્ત્રમાં ઓસડિયાઓ માત્ર ઉપચાર પૂરતા સીમિત નથી ઉપરાંત તેની કોઈ આડઅસર પણ નથી થતી. તો આ સાથે શરીરની રોગપ્રતિકાર શક્તિમાં વધારો પણ કરે છે. લોકોની માનસિકતા ઝડપથી બદલાઇ છે તેના કારણે લોકો એલોપેથી તરફ વળ્યા છે. જો કે, આયુર્વેદ ડૉક્ટરનું માનવું છે કે, આયુર્વેદમાં સમય લાગે છે પણ શરીરના મૂળમાંથી રોગને ખત્મ કરી દે છે. ઝડપી યુગની દોડમાં મનુષ્ય શરીરને પણ ઝડપી બનાવવાની કોશિશમાં લાગી ગયો છે.

જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી
Last Updated : Aug 26, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.