ભાવનગર: ભાવનગરમાં ફસાયેલા હરિયાણાના 10 મજૂરોને ભાવનગર તંત્ર દ્વારા વિશેષ બસ મારફતે હરિયાણા મોકલવામાં આવ્યા હતા. તેમને વતન મોકલતા પહેલાં તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01majuravchirag7208680_18052020182428_1805f_1589806468_670.jpg)
કુંભારવાડા વિસ્તારમાં ભાનુબેનની વાડી ખાતે 10 મજૂરોની પહેલા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક લોકોને મીની બસ દ્વારા મોકલ્યા આવ્યા હતા તેમજ શહેરમાંથી સ્પેશિયલ ટ્રેનો દ્વારા પણ લોકોને મોકલવામાં આવ્યા હતા અને બસો મારફતે પણ મજૂરોને પોહચડવામાં તંત્ર અગ્રેસર રહ્યું હતું. ત્યારે વધુ 10 મજૂરોને પરવાનગી આપીને હરિયાણા મોકલવામાં આવ્યા હતા.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01majuravchirag7208680_18052020182428_1805f_1589806468_3.jpg)