ETV Bharat / state

ભાવનગરમાં પરપ્રાંતીયની હત્યા, કોર્ટે 2 યુવાનોને આજીવન કેદની સજા ફટકારી - GIDCમાં રોલિંગ મિલ ભાવનગર

ભાવનગરના GIDCમાં મજૂરી કરતા પરપ્રાંતીયને હાદાનગરના બે યુવાનોએ 200 રૂપિયા માટે માર માર્યો હતો. જેમાં પરપ્રાંતીયનું સારવાર દરમિયાન મોત થતા હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે બંને શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે.

bahvnagar
ભાવનગરના
author img

By

Published : Feb 15, 2020, 8:59 PM IST

ભાવનગર: શહેરમાં 26 નવેમ્બરના રોજ હાદાનગર વિસ્તારના અનિલ મકવાણા અને ઘુઘો મકવાણા નામના બંને શખ્સો બાઇક પર GIDC પહોંચ્યા હતા. પ્લોટ નંબર 171માં કામ કરતા પપ્પુભાઈ રામદુલેરાભાઈ કોરીને ત્યાંથી ધમકાવી બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું. જે બાદ પપ્પુભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે પાઇપ અને ધોકા વડે ઇજા પહોંચાડી પાકીટની લૂંટ ચલાવી હતી. તેમના પાકીટમાંથી 200 રૂપિયા લૂંટી લીધા બાદ બંને ફરાર થઈ ગયા હતા.

ભાવનગરમાં પરપ્રાંતિયની હત્યામાં 2 યુવાનોને આજીવન કેદ ફટકારતી કોર્ટ

જેમાં ભોગ બનનાર પરપ્રાંતીય પપ્પુભાઈ રામદુલેરા 33 વર્ષનો હતો. તેમજ GIDCમાં રોલિંગ મિલમાં કામ કરતો હતો. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના હૈદરગંજ તાલુકાના કોરા રાઘવપુર ગામનો રહેવાસી હતો. પપ્પુભાઈની હત્યા બાદ ઉત્તપ્રદેશના રહેવાસી તેના સંબંધી શૈલેન્દ્રકુમાર કોરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ હાદાનગરના સત્યનારાયણ સોસાયટીના રહેવાસી આરોપી અનિલ ઉર્ફે અનકો મકવાણા અને ઘુઘો મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.

બંને આરોપી સામે ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેની સજા સાથે 8500 રૂપિયાનો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. માત્ર 200 રૂપિયા બાકી હોય અને તેમાં થયેલી હત્યાને પગલે કોર્ટે ચુકાદો આપી એક સંદેશ આપ્યો હતો કે, ગુનાની સજા અચૂક મળે છે.

ભાવનગર: શહેરમાં 26 નવેમ્બરના રોજ હાદાનગર વિસ્તારના અનિલ મકવાણા અને ઘુઘો મકવાણા નામના બંને શખ્સો બાઇક પર GIDC પહોંચ્યા હતા. પ્લોટ નંબર 171માં કામ કરતા પપ્પુભાઈ રામદુલેરાભાઈ કોરીને ત્યાંથી ધમકાવી બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું. જે બાદ પપ્પુભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે પાઇપ અને ધોકા વડે ઇજા પહોંચાડી પાકીટની લૂંટ ચલાવી હતી. તેમના પાકીટમાંથી 200 રૂપિયા લૂંટી લીધા બાદ બંને ફરાર થઈ ગયા હતા.

ભાવનગરમાં પરપ્રાંતિયની હત્યામાં 2 યુવાનોને આજીવન કેદ ફટકારતી કોર્ટ

જેમાં ભોગ બનનાર પરપ્રાંતીય પપ્પુભાઈ રામદુલેરા 33 વર્ષનો હતો. તેમજ GIDCમાં રોલિંગ મિલમાં કામ કરતો હતો. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના હૈદરગંજ તાલુકાના કોરા રાઘવપુર ગામનો રહેવાસી હતો. પપ્પુભાઈની હત્યા બાદ ઉત્તપ્રદેશના રહેવાસી તેના સંબંધી શૈલેન્દ્રકુમાર કોરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ હાદાનગરના સત્યનારાયણ સોસાયટીના રહેવાસી આરોપી અનિલ ઉર્ફે અનકો મકવાણા અને ઘુઘો મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.

બંને આરોપી સામે ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેની સજા સાથે 8500 રૂપિયાનો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. માત્ર 200 રૂપિયા બાકી હોય અને તેમાં થયેલી હત્યાને પગલે કોર્ટે ચુકાદો આપી એક સંદેશ આપ્યો હતો કે, ગુનાની સજા અચૂક મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.