ETV Bharat / state

ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો

ભાવનગરમાં લેન્ડ ગ્રેબિંગની ત્રણ ફરિયાદો આવતાંની સાથે કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓની એક સમિતિ બનાવીને કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સમિતિએ ત્રણેય ફરિયાદમાં FIR કરવા સુધીનો નિર્ણય લઈ લીધો છે.

author img

By

Published : Jan 3, 2021, 9:36 AM IST

ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
  • ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો
  • ભાવનગર માર્કેટિંગ યાર્ડ, અકવાડા તથા મહુવા
  • જમીન પચાવી પાડવા અંગે તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

ભાવનગર : ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીના હકોને રક્ષિત કરતી શુભ શરૂઆત ભાવનગરથી થઈ છે. ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં આજરોજ એકસાથે જુદી જુદી ત્રણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
કઈ ત્રણ ફરિયાદો મળી અને FIR સુધી થઈ કાર્યવાહી
જેમાં પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી. જમીન પર શ્રી છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખું ઉભું કરી જમીનનો કબજો ખાલી ન કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા નોંધાવવામાં આવી છે.
જ્યારે બીજી ફરિયાદ મહુવા ખાતેની સરકારી સર્વે નં 132 પૈકીની 500 ચો.મી. જમીનમાં સાટાખત કરીને રૂ.1 લાખ વસૂલી ખરીદ/વેચાણ કરેલ છે. તે બાબતની હિતેશભાઈ હરસોરા તથા રજાકભાઈ વિરુદ્ધ સરકાર તરફથી નોંધાવવામાં આવી છે.
જ્યારે અન્ય ત્રીજી ફરિયાદ અકવાડાના સરકારી સર્વે નં.106/1 ની 1416 ચો.મી. જમીનમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ નાનુભાઈ ખસિયા દ્વારા અનધિકૃત કબજો કરી તેમાં પ્લોટિંગ પાડીને નબળા વર્ગના લોકોને બિનઅધિકૃત વેચાણ કરેલ છે તે અંગેની સરકાર તરફે નોંધાવવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ કાયદા માટે ક્યાં અધિકારીની સમિતિ રચાઈ

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ રાજ્યમાં અમલમાં આવ્યા બાદ ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, બાડાના મુખ્ય કારોબારી અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટરની બનેલી આ સમિતિ દ્વારા ગત તા. 28 ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત તમામ અરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

ફરિયાદ થયા બાદ શુ કાર્યવાહી થશે ?

નાગરિકોની જમીન સુરક્ષિત રહે તેમજ અસામાજિક તત્વો કોઈની જમીન પચાવી ન પાડે તે માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ને ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ નોંધવામાં આવેલ ફરિયાદની ચાર્જશીટ તપાસનીસ પોલીસ અધિકારીએ 21 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાની રહે છે. જ્યારે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ ખાસ કોર્ટમાં કેસ ચલાવી કોર્ટ દ્વારા માત્ર 6 માસના ગાળામાં આરોપો બાબતે ત્વરિત નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોપો સાબિત થયા પછી આરોપીને 10 થી 14 વર્ષની સજા તેમજ જંત્રીની કિંમત મુજબની દંડની રકમની ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

જિલ્લાના કલેકટરે શુ કહ્યું કાયદાને પગલે

આ અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડનારા શખ્સો તેમજ ભુમાફિયાઓ વિરુદ્ધ કડક હાથે તંત્ર દ્વારા કામ લેવામાં આવશે.

  • ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો
  • ભાવનગર માર્કેટિંગ યાર્ડ, અકવાડા તથા મહુવા
  • જમીન પચાવી પાડવા અંગે તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

ભાવનગર : ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીના હકોને રક્ષિત કરતી શુભ શરૂઆત ભાવનગરથી થઈ છે. ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં આજરોજ એકસાથે જુદી જુદી ત્રણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
ભાવનગરમાં એક સાથે ત્રણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવતા FIR કરવા નિર્ણય લેવાયો
કઈ ત્રણ ફરિયાદો મળી અને FIR સુધી થઈ કાર્યવાહી
જેમાં પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી. જમીન પર શ્રી છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખું ઉભું કરી જમીનનો કબજો ખાલી ન કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા નોંધાવવામાં આવી છે.
જ્યારે બીજી ફરિયાદ મહુવા ખાતેની સરકારી સર્વે નં 132 પૈકીની 500 ચો.મી. જમીનમાં સાટાખત કરીને રૂ.1 લાખ વસૂલી ખરીદ/વેચાણ કરેલ છે. તે બાબતની હિતેશભાઈ હરસોરા તથા રજાકભાઈ વિરુદ્ધ સરકાર તરફથી નોંધાવવામાં આવી છે.
જ્યારે અન્ય ત્રીજી ફરિયાદ અકવાડાના સરકારી સર્વે નં.106/1 ની 1416 ચો.મી. જમીનમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ નાનુભાઈ ખસિયા દ્વારા અનધિકૃત કબજો કરી તેમાં પ્લોટિંગ પાડીને નબળા વર્ગના લોકોને બિનઅધિકૃત વેચાણ કરેલ છે તે અંગેની સરકાર તરફે નોંધાવવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ કાયદા માટે ક્યાં અધિકારીની સમિતિ રચાઈ

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ રાજ્યમાં અમલમાં આવ્યા બાદ ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, બાડાના મુખ્ય કારોબારી અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટરની બનેલી આ સમિતિ દ્વારા ગત તા. 28 ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત તમામ અરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

ફરિયાદ થયા બાદ શુ કાર્યવાહી થશે ?

નાગરિકોની જમીન સુરક્ષિત રહે તેમજ અસામાજિક તત્વો કોઈની જમીન પચાવી ન પાડે તે માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ને ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ નોંધવામાં આવેલ ફરિયાદની ચાર્જશીટ તપાસનીસ પોલીસ અધિકારીએ 21 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાની રહે છે. જ્યારે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ ખાસ કોર્ટમાં કેસ ચલાવી કોર્ટ દ્વારા માત્ર 6 માસના ગાળામાં આરોપો બાબતે ત્વરિત નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોપો સાબિત થયા પછી આરોપીને 10 થી 14 વર્ષની સજા તેમજ જંત્રીની કિંમત મુજબની દંડની રકમની ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

જિલ્લાના કલેકટરે શુ કહ્યું કાયદાને પગલે

આ અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડનારા શખ્સો તેમજ ભુમાફિયાઓ વિરુદ્ધ કડક હાથે તંત્ર દ્વારા કામ લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.