ETV Bharat / state

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

author img

By

Published : Oct 2, 2019, 11:59 PM IST

ભાવનગર: આજે 2 ઓકટોબર એટલે કે, ગાંધી જયંતી. આ પર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન અંતર્ગત સાફ-સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના મેયર, કમિશ્નર અને કલેકટર સહિતના અધિકારીઓ અને NCCના કેડેટ્સ સહિતના લોકો આ અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતાના શપથ સાથે લોકોએ શહેરના માર્ગો પરથી પ્લાસ્ટિકનો કચરો ઉપાડી સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધર્યું હતું.

સ્વચ્છતા અભિયાન ઝુંબેશ

આજે દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતા સંદેશને સાકાર કરવા વડાપ્રધાન દ્વારા ગાંધીજીના સ્વપ્નની ભેટ દેશને આપવાના અડગ નિર્ધાર સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. જેમાં, ખાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના અભિયાનને વેગ આપવા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન

કાર્યક્રમમા ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.એ.ગાંધી અને કલેકટર ગૌરાંગ મકવાણા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનમાં NCCના કેડેટ્સ અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી.

શહેરના રૂપમ ચોક ખાતેથી તમામ 13 વોર્ડમાં સફાઈ અભિયાન અને સાથે-સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન સાથે રસ્તા પરના પ્લાસ્ટીકનો કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કલેકટર, કમિશનર, મેયર સહિતના મહાનુભાવો પણ આ અભીયાનમાં જોડાઈ પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો હતો.

વડાપ્રધાને અઠવાડિયામાં બે કલાક શ્રમદાનની અપીલ કરી હતી, ત્યારે તેને સાર્થક કરવા નિયમિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં મહાનુભાવો સહિતના લોકો શ્રમદાન કરશે તેમ પણ જણાવ્યું હતું.

આજે દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતા સંદેશને સાકાર કરવા વડાપ્રધાન દ્વારા ગાંધીજીના સ્વપ્નની ભેટ દેશને આપવાના અડગ નિર્ધાર સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. જેમાં, ખાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના અભિયાનને વેગ આપવા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન

કાર્યક્રમમા ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.એ.ગાંધી અને કલેકટર ગૌરાંગ મકવાણા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનમાં NCCના કેડેટ્સ અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી.

શહેરના રૂપમ ચોક ખાતેથી તમામ 13 વોર્ડમાં સફાઈ અભિયાન અને સાથે-સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન સાથે રસ્તા પરના પ્લાસ્ટીકનો કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કલેકટર, કમિશનર, મેયર સહિતના મહાનુભાવો પણ આ અભીયાનમાં જોડાઈ પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો હતો.

વડાપ્રધાને અઠવાડિયામાં બે કલાક શ્રમદાનની અપીલ કરી હતી, ત્યારે તેને સાર્થક કરવા નિયમિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં મહાનુભાવો સહિતના લોકો શ્રમદાન કરશે તેમ પણ જણાવ્યું હતું.

Intro:એપૃવલ : ધવલસર
ફોર્મેટ : પેકેજ

આજે બીજી ઓકટોબર એટલેકે ગાંધી જયંતી પર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન અંતર્ગત સાફસફાઈ ના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાવનગરના મેયર, કમિશ્નર અને કલેકટર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને એન.સી.સી ના કેડેટ્સ સહિતના લોકો આ અભિયાનમાં જોડાયા હતા, સ્વચ્છતા ના શપથ સાથે લોકોએ શહેરના માર્ગો પરથી પ્લાસ્ટિક નો કચરો ઉપાડી સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધર્યું હતું.Body:આજે દેશભરમાં ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીના સ્વચ્છતા સંદેશને સાકાર કરવા વડાપ્રધાન દ્વારા ગાંધીજીના સ્વપ્નની ભેટ દેશને આપવા ના અડગ નિર્ધાર સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે જેમાં ખાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ના અભિયાનને વેગ આપવા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.એ.ગાંધી અને કલેકટર ગૌરાંગ મકવાણા સહીતન અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. ખાસ સ્વચ્છતા અભિયાનમાં એન.સી.સી ના કેડેટ્સ અને અન્ય સંસ્થાઓ પણ જોડાય હતી અને શહેરના રૂપમ ચોક ખાતેથી તમામ ૧૩ વોર્ડમાં સફાઈ અભિયાન અને સાથે સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત ના અભિયાન સાથે રસ્તા પરના પ્લાસ્ટીકનો કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કલેકટર-કમિશનર-મેયર સહિતના મહાનુભાવો પણ આ અભોયાનમાં જોડાઈ પ્લાસ્ટિક નો કચરો ઉપાડ્યો હતોConclusion:આજે ગાંધી જયંતી ના દિવસે જયારે સફાઈ અભિયાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા માટે જયારે વડાપ્રધાને અઠવાડિયામાં બે કલાક શ્રમદાન ની અપીલ કરી હતી ત્યારે તેને સાર્થક કરવા નિયમિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં મહાનુભાવો સહિતના લોકો શ્રમદાન કરશે તેમ પણ જણાવ્યું હતું.

બાઈટ: મનહરભાઈ મોરી-મેયર-ભાવનગર.

બાઈટ: એમ.એ ગાંધી-કમિશ્નર-ભાવનગર.

બાઈટ: ગૌરાંગ મકવાણા-કલેકટર-ભાવનગર.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.