ETV Bharat / state

અમરેલી પોલીસે દેવીપૂજક ગેંગનો કર્યો પર્દાફાશ, અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો

ભાવનગર: જિલ્લામાં લૂંટ કરવાના ઇરાદે ખુની ખેલ ખેલી અંધારામાં ગાયબ થઈ જતી દેવીપૂજક ગેંગના 9 ગુનેગારોને ઝડપી લઇ સમગ્ર ગુજરાતમાં આચરેલા હત્યા, લૂંટ અને ચોરીના કુલ 15 ગુનાનો ભેદ ભાવનગર રેન્જ IG હેઠળ અમરેલી પોલીસે ઉકેલ્યો છે.

author img

By

Published : Jun 18, 2019, 5:37 PM IST

અમરેલી પોલીસે દેવી પુજક ગેંગનો કર્યો પર્દાફાશ

ભાવનગરના રેન્જ IG દ્વારા અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લૂંટ તથા હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલાય જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી દ્વારા કામગીરી કરવા સુચના કરેલ હોય, જેથી એમ.એસ.રાણા નાયબ પોલીસ અધિક્ષક અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી SOG PSI આર.કે.કરમટા તથા SOG ટીમે બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપૂજક ગેંગની પૂછપરછ કરતા 7 હત્યા તથા અન્ય લૂંટનાં ગુનામાં કુલ 9 જેટલા આરોપીને ઝડપી પાડેલા છે.

અમરેલી પોલીસે દેવી પુજક ગેંગનો કર્યો પર્દાફાશ

અમરેલી જીલ્લામાં દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન રાત્રીના સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી વડે જીવલેણ ગંભીર ઇજાઓ કરી પહેરેલા સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ મુદામાલ 1.50 લાખની લૂંટ ચલાવી ઇજાઓ કરી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ ચલાવી નાશી ગયેલા હતા.

જે સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ IG અશોક કુમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બનાવની વિગતોનો અભ્યાસ કરી SOG, SOG તથા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી એકશન પ્લાન મુજબની કાર્યવાહીનું સતત મોનીટરીંગ કરી રહેલા હતા. તે દરમ્યાન અમરેલી SOGની ટીમ દ્વારા ગુજરાતની દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધ્યા હતા.

જે દેવીપુજક ગેંગ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં સક્રીય હતી. જેને ઝડપી લઇ પુછપરછ કરતા આ ગેંગ દ્વારા ગુજરાત રાજયના અમરેલી સહીત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મળી હત્યા સાથે લુંટ, ચોરી જેવા ગુનાઓને અંજામ આપ્યાનું સામે આવ્યુ હતુ. ત્યાર બાદ સમગ્ર જિલ્લાઓ કરેલા લુટ અને હત્યાના અનેક ગુનાઓ સામે આવ્યા હતા.

ભાવનગરના રેન્જ IG દ્વારા અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લૂંટ તથા હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલાય જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી દ્વારા કામગીરી કરવા સુચના કરેલ હોય, જેથી એમ.એસ.રાણા નાયબ પોલીસ અધિક્ષક અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી SOG PSI આર.કે.કરમટા તથા SOG ટીમે બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપૂજક ગેંગની પૂછપરછ કરતા 7 હત્યા તથા અન્ય લૂંટનાં ગુનામાં કુલ 9 જેટલા આરોપીને ઝડપી પાડેલા છે.

અમરેલી પોલીસે દેવી પુજક ગેંગનો કર્યો પર્દાફાશ

અમરેલી જીલ્લામાં દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન રાત્રીના સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી વડે જીવલેણ ગંભીર ઇજાઓ કરી પહેરેલા સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ મુદામાલ 1.50 લાખની લૂંટ ચલાવી ઇજાઓ કરી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ ચલાવી નાશી ગયેલા હતા.

જે સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ IG અશોક કુમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બનાવની વિગતોનો અભ્યાસ કરી SOG, SOG તથા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી એકશન પ્લાન મુજબની કાર્યવાહીનું સતત મોનીટરીંગ કરી રહેલા હતા. તે દરમ્યાન અમરેલી SOGની ટીમ દ્વારા ગુજરાતની દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધ્યા હતા.

જે દેવીપુજક ગેંગ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં સક્રીય હતી. જેને ઝડપી લઇ પુછપરછ કરતા આ ગેંગ દ્વારા ગુજરાત રાજયના અમરેલી સહીત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મળી હત્યા સાથે લુંટ, ચોરી જેવા ગુનાઓને અંજામ આપ્યાનું સામે આવ્યુ હતુ. ત્યાર બાદ સમગ્ર જિલ્લાઓ કરેલા લુટ અને હત્યાના અનેક ગુનાઓ સામે આવ્યા હતા.

લુંટ કરવાના ઇરાદે ખુની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થઇ જતી ખતરનાક દેવી પુજક ગેંગના ૯ ખુખાર ગુનેગારોને ઝડપી લઇ સમગ્ર ગુજરાતમાં આચરેલ હત્યા, લુંટ, ચોરીઓના કુલ-૧૫(હત્યા સાથે લુંટ-૬,લુંટ-પ, ચોરી-૪)  ગુન્હાઓનો ભેદ અમરેલી પોલીસે ઉકેલી નાંખ્યો છે.

  આ અંગેની વિગત એવી છે કે અશોકકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાંઓએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લુંટ તથા હત્યા જેવા અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને લોકોની મિલ્કત પાછી મળે અને નાગરીકો નિર્ભય રીતે રહી શકે અને પોલીસની કામગીરી પ્રત્યે તેઓને વિશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી દ્વારા તે રીતે કામગીરી કરવા સુચનાં કરેલ હોય, તે અન્વયે એમ.એસ.રાણા નાયબ પોલીસ અધિક્ષક અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી પો.સબ ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમએ બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપુજક ગેંગની પુછપરછ કરતા-૭ (સાત) હત્યા તથા અન્ય લુંટનાં ગુન્હામાં કુલ-૯ જેટલા આરોપીને ઝડપી પાડેલ છે. 
અમરેલી જીલ્લામાં બનેલ ગુન્હાની વિગત એવી છે કે, ગઇ તા.૦૯/૦૬/૨૦૧૯ નાં રોજ દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન એ રીતેનાં રાત્રીનાં સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી, વતી જીવલેણ ગંભીર ઇજાઓ કરી તેઓએ પહેરલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ મુદામાલ  કિ.રૂા.૧,૫૨,૫૦૦ ની લુંટ કરી જીવલેણ ઇજાઓ કરી ખાટલા સાથે બાંઘી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ કરી નાશી ગયેલા હતા 
ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગર તથા નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક, અમરેલી ધ્વારા જાતેથી બનાવની વિગતોનો અભ્યાસ કરી ચોકકસ એકશન પ્લાન બનાવી એલ,સી.બી., એસ.ઓ.જી. તથા લોકલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી એકશન પ્લાન મુજબની કાર્યવાહી નુ સતત મોનીટરીંગ કરી રહેલ હતા. તે દરમ્યાન અમરેલી એસ.ઓ.જી.ની ટીમ ધ્વારા ગુજરાતની સૌથી મોટી દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધી કાઢવામાં આવેલ.

ગુજરાત રાજયની સૌથી મોટી દેવીપુજક ગેંગનો પર્દાફાસ કરી નીચે મુજબના દેવીપુજક ગેંગના ખુખાર ગુનેગારોને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.
જેમાં 
(૧) ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં  તા.જી.બોટાદ
(૨) ઉજીબીન ઉર્ફે બાવલી વા/ઓ  ચંદુભાઇ વાઘેલા રહે. લાઠીદડ સ્વામીનારાયણ  ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં  તા.જી.બોટાદ 
(૩) વિશુ ઉર્ફે નનુ ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં  તા.જી.બોટાદ
(૪) ફલજી જીલુભાઇ સાઢમીયા રહે. મુળ દુઘેલી ગામની સીમમાં વાડી વિસ્તાર હાલ રહે. ચોટીલા મફતીયાપરા ચામુંડા ધર્મશાળા ગેસ્ટ હાઉસની પાછળ ચોટીલા જી.સુરેન્દ્રનગર
(૫) હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં  તા.જી.બોટાદ
(૬) કાળુભાઇ લખુભાઇ જીલીયા રહે.લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં  તા.જી.બોટાદ
(૭) કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા હળીયાદ રામદેવપીરના મંદિર પાસે તા.વલ્લભીપુર જી. ભાવનગર
(૮) મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ સાડમીયા રહે. બોટાદ, હણકુય નવહથ્થા હનુમાનજીનાં મંદિર પાસે, તા.જી.બોટાદ  
(૯) મુકેશ ઉર્ફે ભયલુ ભાવું ઉર્ફે બાબુભાઇ વાઘેલા,  રહે. હળીયાદ તા.વલ્લભીપુર જી.ભાવનગર ને ઝડપા પાડેલ છે. 

ઉપરોકત દેવીપુજક ગેંગ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જુદા-જુદા જીલ્લાઓમાં સક્રીય હતી. જેને કુનેહ પુર્વક ઝડપી લઇ મનોવૈજ્ઞાનિક ઢબથી પુંછપરછ કરતા આ ખતરનાક દેવી પુજક ગેંગ ધ્વારા ગુજરાત રાજયના અમરેલી સહીત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મળી હત્યા સાથે લુંટ-૬, લુંટ-પ, ચોરી-૪ ગુન્હાઓને અંજામ આપેલાનુ સામે આવેલ જેના પર નજર કરીએ તો એક વર્ષ પુર્વે સુરેન્દ્રનગર જીલ્લાના પાદરા ગામે થયેલ ૧૦૦ વર્ષની ઉમરના વૃધ્ધ મહિલાની હત્યા સાથે લુંટ  ભેદ ઉકેલાયો.આ ગેંગ ધ્વારા ગઇ તા.૦૩/૧૦/૨૦૧૮ નાં રોજ બોરાણા, બબાભાનાં પાદરમાં તા.લીંબડી જી.સુરેન્દ્રનગર ખાતે રહેતા બોજીબેન W/O ઘનજીભાઇ અરજણભાઇ મંદુરીયા નાંઓ આશરે-૧૦૦ વર્ષ જેટલી ઉંમરનાં હોય, તેઓને માર મારી બે રહેમીથી હત્યા કરી તેઓના કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટને અંજામ આપેલ હતો જે ગુનો આજ-દીન સુધી વણશોધાયેલ હતો. જેનો પર્દાફાસ કરવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.