ભાવનગર: કોરોના કેસો દિવસને દિવસે એવરેજમાં વધી રહ્યા છે. રોજના 25 પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.જેથી આઇસોલેશન વોર્ડ પણ ધીરે ધીરે ફૂલ થઇ રહ્યો છે. શહેરમાં અનલોક 2નો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ કોરોના પોઝિટિવ કોસોનો આંકડો 370 પોહચ્યો છે. દિવસમાં ઓછામાં ઓછા પાંચ પોઝિટિવ કેસો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. તો હવે પાંચથી દસ સુધી તો ક્યારેક દસને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુક્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોના કહેર : ભાવનગરમાં દરરોજ કોરોનાના 25 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે.ભાવનગરમાં આજદિન સુધીમાં 182 દર્દીઓ સ્વસ્થ થયા છે.તો 13 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. અને સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં વોર્ડમાં અત્યારે આશરે 175 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોનાની વધતી જતી ગંભીર સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ હાથ ધરવાનાં આવ્યુ છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. કોરોના કહેર : ભાવનગરમાં દરરોજ કોરોનાના 25 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે.