ETV Bharat / state

વાગરા તાલુકાની સંપાદિત જમીનનાં નાણાં વલસાડના ખેડૂતોના ખાતામાં જતાં પૂર્વ પ્રધાનની CBI તપાસની માગ

author img

By

Published : Sep 24, 2020, 7:34 PM IST

ભરૂચના વાગરા તાલુકામાં આવેલા ત્રણ ગામોમાં આવેલી કરોડોની જમીન મૂળમાલિકો અને જમીન સંપાદનનાં રૂપિયા વલસાડ જિલ્લાનાં ખેડૂતોનાં ખાતામાં આવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર કૌભાંડ અંગે રાજ્યના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે.

પૂર્વ પ્રધાનની CBI તપાસની માગ
પૂર્વ પ્રધાનની CBI તપાસની માગ

ભરૂચ: જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી સહિત દસ લોકોને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે, વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે. વર્ષ 2020માં વાગરા તાલુકાનાં અંભેલ, પખાજણ અને લીમડી ગામોની 1600 એકર જમીન સંપાદન પ્રક્રિયામાં 1200 એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવીને નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ. થન્નારશનના સીધા મળતીયાઓને પહેલાં જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.

વાગરા તાલુકાની સંપાદિત જમીનનાં નાણાં વલસાડના ખેડૂતોના ખાતામાં જતાં માજી મંત્રીની CBI તપાસની માગ

ત્યારબાદ વળતર ચુકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારોને પ્રલોભન આપી છેતરપીંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની ઘટના બની છે. તેઓએ જીઆઈડીસીના એમ.ડી. સહીત ત્રણ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે અંગે સમગ્ર કોભાંડ બાબતે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે.

ભરૂચ: જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી સહિત દસ લોકોને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે, વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે. વર્ષ 2020માં વાગરા તાલુકાનાં અંભેલ, પખાજણ અને લીમડી ગામોની 1600 એકર જમીન સંપાદન પ્રક્રિયામાં 1200 એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવીને નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ. થન્નારશનના સીધા મળતીયાઓને પહેલાં જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.

વાગરા તાલુકાની સંપાદિત જમીનનાં નાણાં વલસાડના ખેડૂતોના ખાતામાં જતાં માજી મંત્રીની CBI તપાસની માગ

ત્યારબાદ વળતર ચુકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારોને પ્રલોભન આપી છેતરપીંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની ઘટના બની છે. તેઓએ જીઆઈડીસીના એમ.ડી. સહીત ત્રણ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે અંગે સમગ્ર કોભાંડ બાબતે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.