ETV Bharat / state

ભરૂચમાં બે મહિલાએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી, પણ હજી સુધી એક મૂર્તિનું વેચાણ નહી

author img

By

Published : Aug 12, 2020, 9:31 AM IST

ભરૂચમાં રહેતી બે બહેનોએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે, પરંતુ હજી સુધી એક પણ પ્રતિમાનું વેચાણ ન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

x
xdz

ભરૂચઃ ભરૂચમાં રહેતી બે બહેનોએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કર્યું છે. જો કે, કોરોના મહામારી વચ્ચે પ્રતિમાઓનું વેચાણ નહીં થતા તેઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ભરૂચમાં બે મહિલાઓએ શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી

શહેરમાં રહેતા ગીતાબેન પ્રજાપતિ અને ગંગાબેન વસાવાએ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાનમાંથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવાની તાલીમ મેળવી દર વર્ષે સુરતમાં યોજાતા મૂર્તિ મેળામાં ગણેશની પ્રતિમાઓ બનાવી વેચાણ કરતી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે સુરતમાં મૂર્તિ મેળો નહીં યોજાતા બંને બહેનોએ ભરૂચમાં જ કસક વિસ્તારમાં દુકાન ભાડે રાખીને ગણેશની બેથી અઢી ફૂટની 200 પ્રતિમાઓ બનાવી છે.

આ પ્રતિમાઓનો ભાવ 1000થી 3500 સુધીનો નક્કી કર્યો છે, પરંતુ હજુ સુધી તેમની એક પણ પ્રતિમાનું વેચાણ કે બુકિંગ નહીં થતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે, હજી થોડા દિવસો બાકી હોવાથી તેમને આશા છે કે પ્રતિમાનું વેચાણ થશે.

ભરૂચઃ ભરૂચમાં રહેતી બે બહેનોએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કર્યું છે. જો કે, કોરોના મહામારી વચ્ચે પ્રતિમાઓનું વેચાણ નહીં થતા તેઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ભરૂચમાં બે મહિલાઓએ શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી

શહેરમાં રહેતા ગીતાબેન પ્રજાપતિ અને ગંગાબેન વસાવાએ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાનમાંથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવાની તાલીમ મેળવી દર વર્ષે સુરતમાં યોજાતા મૂર્તિ મેળામાં ગણેશની પ્રતિમાઓ બનાવી વેચાણ કરતી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે સુરતમાં મૂર્તિ મેળો નહીં યોજાતા બંને બહેનોએ ભરૂચમાં જ કસક વિસ્તારમાં દુકાન ભાડે રાખીને ગણેશની બેથી અઢી ફૂટની 200 પ્રતિમાઓ બનાવી છે.

આ પ્રતિમાઓનો ભાવ 1000થી 3500 સુધીનો નક્કી કર્યો છે, પરંતુ હજુ સુધી તેમની એક પણ પ્રતિમાનું વેચાણ કે બુકિંગ નહીં થતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે, હજી થોડા દિવસો બાકી હોવાથી તેમને આશા છે કે પ્રતિમાનું વેચાણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.