ભરૂચઃ ભરૂચની મનુબર ગ્રામપંચાયતે લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ દાખવ્યો છે. ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનારા પાસે રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેનો કડક અમલ કરાવવા ભરૂચની મનુબર ગ્રામપંચાયત આગળ આવી છે. ગ્રામપંચાયત દ્વારા ગામમાં બોર્ડ લગાવી કોઈને પણ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા આદેશ આપવામાં આવ્યો છે અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર પાસે રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવે છે. જમા થયેલી દંડની રકમનો ગામના વિકાસના કાર્યમાં ઉપયોગ કરાશે.
![લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6597508_hhhh.jpg)
બીજી તરફ જૂની પદ્ધતિ અનુસાર, એક ઢોલી ગામની ગલીએ ગલીએ ફરે છે અને ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા સાથે નિયમો અંગેની જાણકારી આપે છે. ગામમાં પાદર પર લોકો બેસી રહે છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઠેર ઠેર ઓઈલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેરમાં બેસતા અટકાવવામાં આવી રહ્યાં છે.
![લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6597508_bhgggh.jpg)