ETV Bharat / state

ભરૂચમાં માછીસમાજે જાળ લગાવીને નોંધાવ્યો વિરોધ - Bharuch today news

ભરૂચ: જિલ્લા નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભરુચના માછીસમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેટલાક તત્વો દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવામાં આવે છે, જેના કારણે નાના માછીમારોની બોટ અકસ્માતનો ભોગ બને છે.

pile
author img

By

Published : Jul 27, 2019, 2:41 PM IST

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે માછીસમાજનાં સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભરૂચમાં માછીસમાજે જાળ લગાવીને નોંધાવ્યો વિરોધ

માછીસમાજ દ્વારા પ્રતિકરૂપે કલેક્ટર કચેરીમાં ખૂંટા સાથે જાળ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ચાલુ વરસાદે પણ માછીસમાજના સભ્યોએ વિરોધ પ્રદર્શન યથાવત્ જ રાખ્યું હતું. આ દરમિયાન તેમના વિરોધને થાળે પાડવા માટે પોલીસના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે માછીસમાજનાં સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભરૂચમાં માછીસમાજે જાળ લગાવીને નોંધાવ્યો વિરોધ

માછીસમાજ દ્વારા પ્રતિકરૂપે કલેક્ટર કચેરીમાં ખૂંટા સાથે જાળ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ચાલુ વરસાદે પણ માછીસમાજના સભ્યોએ વિરોધ પ્રદર્શન યથાવત્ જ રાખ્યું હતું. આ દરમિયાન તેમના વિરોધને થાળે પાડવા માટે પોલીસના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા.

Intro:ભરૂચ નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે માછીસમાજનું વિરોધ પ્રદર્શન Body:-કલેકટર કચેરીમાં ખુંટા સાથે જાળ લગાવી વિરોધ નોધાવ્યો
-વરસતા વરસાદમાં પણ માછીમારોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું
Conclusion:ભરૂચ નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે માછીસમાજ દ્વારા કલેકટર કચેરીમાં ખુંટા સાથે જાળ લગાવી વિરોધ નોધાવ્યો હતો ત્યારે વરસતા વરસાદમાં પણ માછીમારોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું
ભરૂચ નજીક નર્મદા નદીમાં કેટલાક તત્વો દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવામાં આવે છે જેના કારણે નાના માછીમારોની બોટ અકસ્માતનો ભોગ બને છે આ બાબતે તંત્ર દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે માછીસમાજનાં સભ્યો કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા અને પ્રતિક રૂપે કલેકટર કચેરીમાં ખૂંટા સાથે જાળ લગાવી વિરોધ નોધાવ્યો હતો.આ દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા ચાલુ વરસાદે પણ માછી સાંજના સભ્યોએ વિરોધ પ્રદર્શન યથાવત જ રાખ્યુ હતું દરમ્યાન મામલો થાળે પાડવા મોટી સંખ્યામાં પોલીસનાં જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.