ETV Bharat / state

અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ - Fire in Ankleshwar News

કોરોના વાઇરસના કહેર વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામની સીમમાં રાસાયણિક કચરામાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી.

Etv Bharat, Gujarati News, Ankleshwar News, Fire News
રાસાયણિક કચરામાં આગ
author img

By

Published : Apr 1, 2020, 1:08 PM IST

અંકલેશ્વર: શહેર નજીક હાઈવે પર માંડવા ગામની સીમમાં રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. કોઈક બેજવાબદાર તત્વોએ કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી આગ લગાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બુધવારે સવારના સમયે રાસાયણિક કચરામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Etv Bharat, Gujarati News, Ankleshwar News, Fire News
રાસાયણિક કચરામાં આગ

જો કે, કોઇ બેજવાબદાર તત્વો દ્વારા રાસાયણિક કચરાનો જાહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરી તેને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલામાં કડક તપાસ કરે એ જરૂરી છે.

અંકલેશ્વર: શહેર નજીક હાઈવે પર માંડવા ગામની સીમમાં રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. કોઈક બેજવાબદાર તત્વોએ કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી આગ લગાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બુધવારે સવારના સમયે રાસાયણિક કચરામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Etv Bharat, Gujarati News, Ankleshwar News, Fire News
રાસાયણિક કચરામાં આગ

જો કે, કોઇ બેજવાબદાર તત્વો દ્વારા રાસાયણિક કચરાનો જાહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરી તેને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલામાં કડક તપાસ કરે એ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.