ETV Bharat / state

ઈટીવી સ્પેશિયલ: ભરૂચમાં કુલ 2 હજારથી વધુ કેસ પૈકી પ્રત્યેક 500 કેસ કેટલા દિવસમાં નોંધાયા એ બાબતનું વિશ્લેષણ

author img

By

Published : Sep 30, 2020, 1:57 PM IST

કોરોનાનો કાળો કહેર મહિનાઓ બાદ પણ યથાવત છે. રાજ્યના ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલ શહેરમાં 2 હજાર કરતા પણ વધારે લોકો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે, ત્યારે પ્રત્યેક 500 કેસ કેટલા દિવસમાં નોંધાયા એ બાબતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.

BHARUCH NEWS
BHARUCH NEWS

ભરૂચ: જિલ્લમાં કોરોના કાળો કહેર બનીને વર્તી રહ્યો છે. કોરોનાની રફતાર ટોપ ગિયરમાં જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કામાં ઓછા કેસ આવતા હતા. પરંતુ એ બાદ કોરોનાએ જે ગતિ પકડી એ અત્યંત ચિંતાજનક છે. કોરોનાએ જોતજોતામાં 2 હજારનો અણગમતો આંક પાર કરી લીધો છે, ત્યારે પ્રત્યેક 500 કેસ કેટલા દિવસમાં અને કઈ તારીખે નોંધાયા એ બાબતે ઈટીવી ભારત દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ભરૂચમાં કોરોનાનો પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો, ત્યાર બાદ પ્રથમ 500 કેસ 14 જુલાઈએ થયા હતા. આમ પ્રથમ 500 કેસ નોંધાતા 3 મહિના અને 6 દિવસ લાગ્યા હતા. એટલે કે 96 દિવસમાં 500 કેસ નોંધાયા હતા. જો કે બીજા 500 કેસ જે ગતિએ નોંધાયા એ આંકડા અત્યંત ચોંકાવનારા છે. 14 જુલાઈ બાદ બીજા 500 કેસ 4 ઓગસ્ટે નોંધાયા હતા. માત્ર 20 જ દિવસમાં અન્ય 500 કેસ નોધાયા છે. તો ત્રીજા 500 કેસ એટલે કે કુલ 1500 કેસ બીજી સપ્ટેમ્બરે થયા હતા. અહી પણ માત્ર 28 દિવસમાં જ 500 કેસ નોંધાયા હતા. તો અંતિમ 500 કેસનો ઉમેરો 24 સપ્ટેમ્બરે નોંધાયો હતો. અંતિમ 500 કેસ નોંધાતા 22 દિવસનો સમય લાગ્યો હતો.

આમ શરૂઆતથી જોઈએ તો પ્રથમ 500 કેસ 96 દિવસ એટલે કે રોજના સરેરાશ 5 કેસ, જ્યારે બીજા 500 કેસ 20 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 25 કેસ ત્રીજા 500 કેસ 28 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 18 કેસ અને ચોથા 500 કેસ 22 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 23 કેસ નોધાયા છે .ભરૂચ જિલ્લામાં કોરોનાના 174 દિવસનો સરેરાશ જોઈએ તો રોજના સરેરાશ 12 કેસ નોંધાઇ રહ્યા છે.

આમ કોરોનાની રફતાર વધી રહી છે. જો કે લોકોમાં ગંભીરતા ઘટી રહી છે. કોરોનાના કાળચક્રમાં લોકો ફસાઈ રહ્યા છે, ત્યારે સાવચેતી એ જ સલામતી છે.

ભરૂચ: જિલ્લમાં કોરોના કાળો કહેર બનીને વર્તી રહ્યો છે. કોરોનાની રફતાર ટોપ ગિયરમાં જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કામાં ઓછા કેસ આવતા હતા. પરંતુ એ બાદ કોરોનાએ જે ગતિ પકડી એ અત્યંત ચિંતાજનક છે. કોરોનાએ જોતજોતામાં 2 હજારનો અણગમતો આંક પાર કરી લીધો છે, ત્યારે પ્રત્યેક 500 કેસ કેટલા દિવસમાં અને કઈ તારીખે નોંધાયા એ બાબતે ઈટીવી ભારત દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ભરૂચમાં કોરોનાનો પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો, ત્યાર બાદ પ્રથમ 500 કેસ 14 જુલાઈએ થયા હતા. આમ પ્રથમ 500 કેસ નોંધાતા 3 મહિના અને 6 દિવસ લાગ્યા હતા. એટલે કે 96 દિવસમાં 500 કેસ નોંધાયા હતા. જો કે બીજા 500 કેસ જે ગતિએ નોંધાયા એ આંકડા અત્યંત ચોંકાવનારા છે. 14 જુલાઈ બાદ બીજા 500 કેસ 4 ઓગસ્ટે નોંધાયા હતા. માત્ર 20 જ દિવસમાં અન્ય 500 કેસ નોધાયા છે. તો ત્રીજા 500 કેસ એટલે કે કુલ 1500 કેસ બીજી સપ્ટેમ્બરે થયા હતા. અહી પણ માત્ર 28 દિવસમાં જ 500 કેસ નોંધાયા હતા. તો અંતિમ 500 કેસનો ઉમેરો 24 સપ્ટેમ્બરે નોંધાયો હતો. અંતિમ 500 કેસ નોંધાતા 22 દિવસનો સમય લાગ્યો હતો.

આમ શરૂઆતથી જોઈએ તો પ્રથમ 500 કેસ 96 દિવસ એટલે કે રોજના સરેરાશ 5 કેસ, જ્યારે બીજા 500 કેસ 20 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 25 કેસ ત્રીજા 500 કેસ 28 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 18 કેસ અને ચોથા 500 કેસ 22 દિવસમાં એટલે કે રોજના સરેરાશ 23 કેસ નોધાયા છે .ભરૂચ જિલ્લામાં કોરોનાના 174 દિવસનો સરેરાશ જોઈએ તો રોજના સરેરાશ 12 કેસ નોંધાઇ રહ્યા છે.

આમ કોરોનાની રફતાર વધી રહી છે. જો કે લોકોમાં ગંભીરતા ઘટી રહી છે. કોરોનાના કાળચક્રમાં લોકો ફસાઈ રહ્યા છે, ત્યારે સાવચેતી એ જ સલામતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.