ભરૂચ : લોકડાઉન વચ્ચે મંગળવારે આંબેડકર જયંતીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના લોકોએ આંબેડકર જયંતીની અનોખી રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનના સમયમાં ખડેપગે ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મીઓ પર ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમનું સન્માન કરાયું હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-04-av-ambedkarjayanti-vis-7207966_14042020141146_1404f_1586853706_852.jpg)
તેેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પોલીસકર્મીઓના હસ્તે જરૂરીયાતમંદોને જીવન જરૂરીયાતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.