ETV Bharat / state

થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ કરી આત્મહત્યા

author img

By

Published : May 7, 2020, 3:42 PM IST

કોરોનાની ચાલી રહેલી મહામારીમાં થરાદ પાસે એક દંપતી યુગલે કોઇ કારણોસર કેનાલમાં પડતુ મુકીને આત્મહત્યા કરી હતી. બનાવના પગલે થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકી પતિ પત્નીએ કરી આત્મહત્યા
થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકી પતિ પત્નીએ કરી આત્મહત્યા

બનાસકાંઠાઃ કોરોનાની મહામારી વચ્ચે એક દંપતીએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને બહાર કાઢી PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના વાઇરસના કહેર વચ્ચે આજે થરાદની મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં સાગર રબારી નામનો યુવક તેની પત્ની સાથે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો, તે દરમિયાન આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આ બંને પતિ-પત્નીએ એકબીજાના હાથ એકબીજાથી બાંધી દઈ નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં જ થરાદ પોલીસ, સ્થાનિક તરવૈયા સુલતાન મીર સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંને મૃતકોના મૃતદેહને બહાર કાઢી PM અર્થે ખસેડી હતી.

આ બન્ને પતિ-પત્નીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ કઇ જાણવા, પરંતુ એક ના એક દીકરાએ પત્ની સાથે આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

બનાસકાંઠાઃ કોરોનાની મહામારી વચ્ચે એક દંપતીએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને બહાર કાઢી PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના વાઇરસના કહેર વચ્ચે આજે થરાદની મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં સાગર રબારી નામનો યુવક તેની પત્ની સાથે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો, તે દરમિયાન આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આ બંને પતિ-પત્નીએ એકબીજાના હાથ એકબીજાથી બાંધી દઈ નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં જ થરાદ પોલીસ, સ્થાનિક તરવૈયા સુલતાન મીર સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંને મૃતકોના મૃતદેહને બહાર કાઢી PM અર્થે ખસેડી હતી.

આ બન્ને પતિ-પત્નીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ કઇ જાણવા, પરંતુ એક ના એક દીકરાએ પત્ની સાથે આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.