પાલનપુરઃ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે ગુરુવારે પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ધરોઈ ડેમમાંથી પાલનપુર શહેરને આપવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ભંગાણની જગ્યાએ પાણી વેડફાતા તળાવ ભરાઈ ગયું હતું.
![પાણીની પાઇપલાઇનમાં ભંગાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7094080_549_7094080_1588828121368.png)
કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. પાઇપલાઇન લીકેજ થતાં જ હજારો લીટર પાણી વેડફાયું હતું. જોકે સ્થાનિક લોકોએ જાણ કરવા છતાં પણ કોઈજ અધિકારીના ફરકતા લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. એક તરફ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પાણીની અછતના કારણે વિકટ પરિસ્થિતિ બની છે, ત્યારે બીજી તરફ અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ ચાલુ રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.