ETV Bharat / state

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

author img

By

Published : Oct 6, 2020, 8:52 PM IST

બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ટાઉનહોલનું મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઇ-લોકાર્પણ બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના સાંસદ, પૂર્વ કેન્દ્રીયપ્રધાન સહિત ભાજપના નેતાઓ ટાઉનહોલની તકતીનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. જો કે અનાવરણ કરતી સમયે ફોટા પડાવવા તલ્લીન બનેલા જિલ્લાના સાંસદ સહિતના ભાજપના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

બનાસકાંઠા: પાલનપુરમાં વર્ષો પહેલા દિલ્હીગેટ વિસ્તારમાં ટાઉન હોલ હતો. જ્યાં નાટક સહિત અવનવા કાર્યક્રમો યોજાતા હતા. પરંતુ હોલની હાલત લથડી ગયા બાદ શહેરમાં અન્ય કોઇ સુવિધા ન હોવાથી પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં લઇ 6.74 કરોડના ખર્ચે શહેરના હેડક્વાર્ટર્સ માર્ગ પર ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

જેને લઇ મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ટાઉન હોલનો ઇ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

જો કે કારોના મહામારી વચ્ચે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ટાઉન હોલમાં તો સોશિયલ ડિસ્ટન્સ રખાયું પરંતુ લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટાઉનહોલની તકતીનું અનાવરણ કરવા પહોંચેલા સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો ફોટા પડાવવામાં એટલા તલ્લીન થયા કે કાર્યક્રમ દરમિયાન સાચવેલું સોશિયલ ડિસ્ટન્સ કાર્યક્રમના અંતમાં ભૂલી ગયા હતા

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

તેમજ હોલમાં જ ટોળેટોળાં વળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. જો કે વર્ષો બાદ શહેરમાં પાલિકા દ્વારા ટાઉનહોલ તૈયાર કરાતા શહેરીજનોને અનેક પ્રસંગોમાં ખાનગી હોલમાં ભરવા પડતા તગડા ભાડામાંથી મુક્તિ મળશે.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જુદી જુદી 23 નગરપાલિકાઓમાં 105 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું છે.

બનાસકાંઠા: પાલનપુરમાં વર્ષો પહેલા દિલ્હીગેટ વિસ્તારમાં ટાઉન હોલ હતો. જ્યાં નાટક સહિત અવનવા કાર્યક્રમો યોજાતા હતા. પરંતુ હોલની હાલત લથડી ગયા બાદ શહેરમાં અન્ય કોઇ સુવિધા ન હોવાથી પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં લઇ 6.74 કરોડના ખર્ચે શહેરના હેડક્વાર્ટર્સ માર્ગ પર ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

જેને લઇ મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ટાઉન હોલનો ઇ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

જો કે કારોના મહામારી વચ્ચે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ટાઉન હોલમાં તો સોશિયલ ડિસ્ટન્સ રખાયું પરંતુ લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટાઉનહોલની તકતીનું અનાવરણ કરવા પહોંચેલા સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો ફોટા પડાવવામાં એટલા તલ્લીન થયા કે કાર્યક્રમ દરમિયાન સાચવેલું સોશિયલ ડિસ્ટન્સ કાર્યક્રમના અંતમાં ભૂલી ગયા હતા

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

તેમજ હોલમાં જ ટોળેટોળાં વળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. જો કે વર્ષો બાદ શહેરમાં પાલિકા દ્વારા ટાઉનહોલ તૈયાર કરાતા શહેરીજનોને અનેક પ્રસંગોમાં ખાનગી હોલમાં ભરવા પડતા તગડા ભાડામાંથી મુક્તિ મળશે.

પાલનપુરમાં નવનિર્મિત ટાઉનહોલનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જુદી જુદી 23 નગરપાલિકાઓમાં 105 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.