બનાસકાંઠાઃ થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 ફૂટ જેટલું ગાબડું પડયું હોવાની ઘટના સામે આવી છે. નર્મદાની મુખ્ય કેનાલ થરાદ પાસેથી પસાર થાય છે, જેમાં ઢીમા પાસે આ મુખ્ય કેનાલમાં 3 ફૂટ જેટલું પોલાણ સહિત ગાબડું પડ્યું છે.
આ પહેલા પણ ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલમાં ગાબડા પડતા હતા, પરંતુ આ વખતે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. તે પણ હાલ પાણી બંધ હાલતમાં છે ત્યારે, જો કેનાલમાં પાણી ચાલુ હોત તો કદાચ આ ગાબડાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી.
![Narmada Main Canal break down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-canal-ma-gabdu-gj10014_08062020175213_0806f_1591618933_185.jpg)
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેનાલ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આજ સુધી કેનાલમાં ગાબડા પાડવાનો સિલસિલો ચાલુ છે, ત્યારે આ વખતે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
![Narmada Main Canal break down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-canal-ma-gabdu-gj10014_08062020175213_0806f_1591618933_611.jpg)