ETV Bharat / state

બનાસકાંઠાના 28 હજારથી અધિક કુટુંબોને મળ્યો એન.એફ.એસ.એ.(નેશનલ ફુડ સેફટી એકટ) યોજનાનો લાભ

author img

By

Published : Jan 21, 2021, 6:26 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક નાગરિકને જીવન નિર્વાહ માટે પૂરતું અનાજ મળી રહે તે માટે નેશનલ ફુડ સેફટી એકટ (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો-2020) લાગુ કરવામાં આવ્યો છે. જે યોજના હેઠળ ગુજરાત સરકારે આજે પણ એક સાથે 10 લાખ કુટુંબોને આ યોજનાનો લાભ આપ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના 28,708 કુટુંબોને 1 લાખ 39 હજાર 997 પરિવારજનોને એન.એફ.એસ.એ. કાર્ડ આપી ખાદ્ય સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

NSFA scheme
NSFA scheme
  • જિલ્લાના 28,708 પરિવારોના 1 લાખ 39 હજાર 997 પરિવારોને મળી અન્ન સુરક્ષા
  • જિલ્લા માં છેલ્લાં ત્રણ મહિનામાં વધુ 3276 કુટુંબોને મળી એન.એફ.એસ.એ. યોજનામાં
  • બનાસકાંઠામાં 4 સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓને મળ્યો લાભ
    Benefit of the NFSA scheme
    બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

બનાસકાંઠા : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે જૂનાગઢના કેશોદ ખાતેથી રાજ્યભરમાં ઓનલાઇન માધ્યમથી એફ.એસ.એ.યોજનાનો અમલ કરાવ્યો હતો.જેમાં રાજ્યના 10 લાખ કુટુંબોના 50 લાખ પરિવારોને લાભ અપાયો હતો.લાભાર્થીઓને લાભ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.જે હેઠળ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર,થરાદ,લાખણી અને ભાભર ખાતેથી જિલ્લા ના કુલ 28,708 કુટુંબોના 1 લાખ 39 હજાર 997 પરિવારજનોને એન.એફ.એસ.એ. યોજનાનો લાભ અપાયો હતો.

Benefit of the NFSA scheme
બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે તે માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાને સંકલ્પબદ્ધ
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો-2020(એન.એફ.એસ.એ) હેઠળ બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા હતા.જેમાં જિલ્લા મથક પાલનપુર ખાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીની અધ્યક્ષતામાં લાભાર્થી પરિવારોને રેશનકાર્ડ અર્પણ કરાયા હતાં.

Benefit of the NFSA scheme
બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે હરિ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને ભૂખ્યાં ના સૂવું પડે અને તેને સ્વમાનભેર બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

  • જિલ્લાના 28,708 પરિવારોના 1 લાખ 39 હજાર 997 પરિવારોને મળી અન્ન સુરક્ષા
  • જિલ્લા માં છેલ્લાં ત્રણ મહિનામાં વધુ 3276 કુટુંબોને મળી એન.એફ.એસ.એ. યોજનામાં
  • બનાસકાંઠામાં 4 સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓને મળ્યો લાભ
    Benefit of the NFSA scheme
    બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

બનાસકાંઠા : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે જૂનાગઢના કેશોદ ખાતેથી રાજ્યભરમાં ઓનલાઇન માધ્યમથી એફ.એસ.એ.યોજનાનો અમલ કરાવ્યો હતો.જેમાં રાજ્યના 10 લાખ કુટુંબોના 50 લાખ પરિવારોને લાભ અપાયો હતો.લાભાર્થીઓને લાભ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.જે હેઠળ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર,થરાદ,લાખણી અને ભાભર ખાતેથી જિલ્લા ના કુલ 28,708 કુટુંબોના 1 લાખ 39 હજાર 997 પરિવારજનોને એન.એફ.એસ.એ. યોજનાનો લાભ અપાયો હતો.

Benefit of the NFSA scheme
બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે તે માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાને સંકલ્પબદ્ધ
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો-2020(એન.એફ.એસ.એ) હેઠળ બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા હતા.જેમાં જિલ્લા મથક પાલનપુર ખાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીની અધ્યક્ષતામાં લાભાર્થી પરિવારોને રેશનકાર્ડ અર્પણ કરાયા હતાં.

Benefit of the NFSA scheme
બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા

બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે હરિ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને ભૂખ્યાં ના સૂવું પડે અને તેને સ્વમાનભેર બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.