ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને અન્યાય, સરકારને રજૂઆત કરાઈ

બનાસકાં: જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેમાં સરકારે રાહત પેકેજ જાહેર કરતાં ખેડૂતોને રાહત મળી હતી. પરંતુ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારે સહાય આપવામાં પણ વ્હાલા-દવલાની નીતિ રાખી હોય તેવું લાગી રહ્યું છે.

author img

By

Published : Dec 24, 2019, 8:28 AM IST

ETV BHARAT
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને અન્યાય થતાં સરકારને રજૂઆત કરાઈ

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના પગલે વ્યાપક નુકસાન થયું છે. સતત એક મહિના સુધી વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને ખાસ કરીને સુઈગામ અને વાવ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોએ તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોએ દિવસ-રાત કાળી મજૂરી કર્યા પછી તૈયાર થયેલા પાકમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોનાો પાક નિષ્ફળ નિવડ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સુઈગામ તાલુકાના 42 ગામમાંથી 8 ગામના ખેડૂતોને 6800 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે. જ્યારે બાકીના ગામના ખેડૂતોને 4000 રૂપિયા લેખે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, સુઈગામમાં તમામ જગ્યાએ કમોસમી વરસાદના કારણે સમાન નુકસાન થયું છે, તો પછી સરકાર ખેડૂતો સાથે અન્યાય શા માટે કરી રહી છે? ખેડૂતોએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના આગેવાનોના ગામમાં જ બધી સહાય ચૂકવાઇ રહી છે, જ્યારે અન્ય ગામોમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને અન્યાય થતાં સરકારને રજૂઆત કરાઈ

આ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી રહી છે. જો સરહદી વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં નહીં આવે તો, અમે આગામી સમયમાં વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દે રજૂઆત કરશું અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ અચકાશું નહીં.

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના પગલે વ્યાપક નુકસાન થયું છે. સતત એક મહિના સુધી વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને ખાસ કરીને સુઈગામ અને વાવ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોએ તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોએ દિવસ-રાત કાળી મજૂરી કર્યા પછી તૈયાર થયેલા પાકમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોનાો પાક નિષ્ફળ નિવડ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સુઈગામ તાલુકાના 42 ગામમાંથી 8 ગામના ખેડૂતોને 6800 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે. જ્યારે બાકીના ગામના ખેડૂતોને 4000 રૂપિયા લેખે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, સુઈગામમાં તમામ જગ્યાએ કમોસમી વરસાદના કારણે સમાન નુકસાન થયું છે, તો પછી સરકાર ખેડૂતો સાથે અન્યાય શા માટે કરી રહી છે? ખેડૂતોએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના આગેવાનોના ગામમાં જ બધી સહાય ચૂકવાઇ રહી છે, જ્યારે અન્ય ગામોમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને અન્યાય થતાં સરકારને રજૂઆત કરાઈ

આ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી રહી છે. જો સરહદી વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં નહીં આવે તો, અમે આગામી સમયમાં વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દે રજૂઆત કરશું અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ અચકાશું નહીં.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. સુઇગામ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 12 2019

એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું જોકે સરકારે રાહત પેકેજ જાહેર કરતાં ખેડૂતોને રાહત મળી હતી પરંતુ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારે સહાય આપવામાં પણ વહાલા દવલાની નીતિ રાખી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડુતોએ તંત્ર માં ફરિયાદ કરી છે


Body:વિઓ... ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના પગલે વ્યાપક નુકસાન થઈ છે જેમાં સતત એક મહિના સુધી વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદ અને ખાસ કરીને સૂઇગામ અને વાવ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે તો વળી ખેડૂતો એ દિવસને રાત કાળી મજૂરી કર્યા પછી તૈયાર થયેલા પાકમાં કમોસમી માવઠુ થતા ખેડૂતોના મોં માં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હતો. જોકે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સૂઈગામમાં વિસ્તારના ખેડૂતોને તેમની સાથે અન્યાય થયો હોવાના સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં સૂઇગામ તાલુકાના ૪૨ ગામો માંથી ૮ ગામના ખેડૂતોને 6800 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે જ્યારે બાકીના ગામના ખેડૂતોને 4000 રૂપિયા લેખે સહાય આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું માનવું છે કે સૂઈ ગામમાં તમામ જગ્યાએ કમોસમી વરસાદના પગલે એકસરખું નુકસાન થયું છે તો પછી સરકારે ખેડૂતો સાથે અન્યાય શા માટે કરી રહી છે ખેડૂતોએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોના ગામમાં જ સરકાર બધુ સહાય ચુકવાઇ રહી છે જ્યારે અન્ય ગામોમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે..

બાઈટ... વાઘાભાઈ ચૌધરી
( ખેડૂત )

બાઈટ.. ભગવનભાઈ ચૌધરી
( સ્થાનિક, સુઇગામ )

વિઓ... આ મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી રહી છે અરે જો સરહદી વિસ્તારના ખેડૂતોને નુકશાન ની નું પૂરેપૂરું વળતર ચૂકવવામાં નહિં આવે તો તેઓ આગામી સમયમાં વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દે રજૂઆત કરશે અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ અચકાશે નહીં...

બાઈટ... ગેનીબેન ઠાકોર
( ધારાસભ્ય, વાવ )


Conclusion:વિઓ.. બનાસકાંઠામાં ખાસ કરીને સરહદી વિસ્તારમાં ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી નુકસાન કરતા આવ્યા છે પછી ચાહે તે નો આતંક હોય અતિવૃષ્ટિ હોય કેયુર નો ઉપર હોય કે પછી કમોસમી વરસાદ બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને એક પછી એક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે સરકાર ખેડૂતોની વેદના સાંભળી પૂરતી સહાય આપે તે ઇચ્છનીય છે...

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.