ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં નુકસાની સર્વે ન થતાં ખેડૂતોમાં ભારે રોષ - latest news of Banaskantha famers

બનાસકાંઠાઃ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ૩૩ ટકાથી વધારે નુકસાન ધરાવતાં ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામડાઓ છે જ્યાં હજુ સુધી સર્વે થયો નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં નુકસાની સર્વે ન થતાં ખેડૂતોમાં ભારે રોષ
author img

By

Published : Nov 22, 2019, 12:59 AM IST

બનાસકાંઠામાં ખેડૂતો પર એક પછી એક મોટી આફતો આવી રહી છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડના આતંકના કારણે ખેતીમાં ભારે નુકસાન થયુ હતું, ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હાલમાં સરહદી વિસ્તારમાં ઈયળોના આતંકના કારણે ખેડૂતોના પાક સડી રહ્યો છે. આમ જિલ્લાના ખેડૂતો વારંવાર થતાં નુકસાનના કારણે આર્થિક બોજા હેઠળ દબાઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં નુકસાની સર્વે ન થતાં ખેડૂતોમાં ભારે રોષ

આ વર્ષે કમોસમી વરસાદમાં થયેલાં નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી અધિકારી અને સ્થાનિક તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરાવી હતી, ત્યારબાદ સરકાર દ્વારા ૩૩ ટકાથી વધારે નુકસાનવાળા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા કેટલાય ગામો છે હજુ સુધી કોઈપણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી. જેમાં 50 ટકા નુકસાન ધરાવતા ખેડૂતો પણ છે. જેમને ત્યાં કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વેઠવી રહ્યાં છે. આ વર્ષે ખેડૂતોએ સારી આવકની આશાએ વાવણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદ કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યાં પર પાટુ જેવી થઈ છે. ગુજરાત સરકાર દ્વારા ૩૩ ટકાથી વધુ નુકસાન ધરાવતાં ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 20 ટકા નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવાની જાહેરાત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી વહેલી તકે સર્વે કામગીરી કરવામાં માટે લોકમાગ પ્રબળ બની છે."

બનાસકાંઠામાં ખેડૂતો પર એક પછી એક મોટી આફતો આવી રહી છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડના આતંકના કારણે ખેતીમાં ભારે નુકસાન થયુ હતું, ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હાલમાં સરહદી વિસ્તારમાં ઈયળોના આતંકના કારણે ખેડૂતોના પાક સડી રહ્યો છે. આમ જિલ્લાના ખેડૂતો વારંવાર થતાં નુકસાનના કારણે આર્થિક બોજા હેઠળ દબાઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં નુકસાની સર્વે ન થતાં ખેડૂતોમાં ભારે રોષ

આ વર્ષે કમોસમી વરસાદમાં થયેલાં નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી અધિકારી અને સ્થાનિક તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરાવી હતી, ત્યારબાદ સરકાર દ્વારા ૩૩ ટકાથી વધારે નુકસાનવાળા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા કેટલાય ગામો છે હજુ સુધી કોઈપણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી. જેમાં 50 ટકા નુકસાન ધરાવતા ખેડૂતો પણ છે. જેમને ત્યાં કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વેઠવી રહ્યાં છે. આ વર્ષે ખેડૂતોએ સારી આવકની આશાએ વાવણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદ કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યાં પર પાટુ જેવી થઈ છે. ગુજરાત સરકાર દ્વારા ૩૩ ટકાથી વધુ નુકસાન ધરાવતાં ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 20 ટકા નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવાની જાહેરાત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી વહેલી તકે સર્વે કામગીરી કરવામાં માટે લોકમાગ પ્રબળ બની છે."

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રીપોર્ટર..રોહિત ઠાકોર
તા.21 11 2019

એન્કર.. બનાસકાંઠામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ તમામ ખેડૂતોને ૩૩ ટકા થી વધારે નુકસાન હોય એવા લોકોને વળતર ચુકવવાની જાહેરાત કરી હતી પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામડાઓ છે જ્યાં સર્વે થયું નથી જેથી હાલ ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે..


Body:વિઓ.. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને એક પછી એક મોટી આફતો આવી રહી છે જેમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડના આતંકના કારણે મોટુ નુકશાન થયુ હતું જે બાદ કમોસમી વરસાદ અને વરસાદી કરાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હાલમાં સરહદી વિસ્તારમાં ઈયળોના આતંકના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક પછી એક મોટુ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વરસાદી કરાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે માટે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતીવાડી અધિકારી અને સ્થાનિક તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરાવવામાં આવી હતી જે બાદ સરકાર દ્વારા ૩૩ ટકાથી વધારે નુકસાન વાળા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા એટલે કામો આજે બાકી છે કે જ્યાં કોઈપણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે 50 ટકા જેટલું નુકસાન થયું છે પરંતુ આ ખેડૂતોને ત્યાં કોઈપણ અધિકારીઓ દ્વારા સર્વે ન કરવામાં આવતા હાલ ખેડૂતો સરકાર ની સહાય સામે રોષ ઠાલવી રહ્યા છે...

બાઈટ... બાબુભાઈ ઠાકોર
( ખેડૂત )

બાઈટ..જીવાભાઈ પટેલ
( ખેડૂત )


Conclusion:વિઓ... બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી એક પછી એક નુકસાની વેઠવી રહેલા ખેડૂતોએ સારા પાક ઉત્પાદન થાય અને સારી આવક મળે તેવી આશાએ નવુ ઉત્પાદન કર્યું હતું પરંતુ કુદરતને જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ઉભા ન થવા દેવા હોય તેમ એક પછી એક કુદરતી આફત માં નુકશાન થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને વરસાદી કરાના કારણે થયેલા નુકસાનમાં કોઈપણ અધિકારીઓ દ્વારા સર્વે ન કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આજે ગુજરાત સરકાર દ્વારા ૩૩ ટકા થી વધુ નુકસાન ખેડૂતોને વળતર ચૂકવવા ના બદલે આજે ૨૦ ટકા જેટલું નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકારની સહાય ખૂબ જ સારી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક નામો છે કે જ્યાં કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બાકી રહેલા ગામોમાં સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે...

બાઈટ... કલ્યાણભાઈ ચૌધરી
( ડેપ્યુટી સરપંચ, ઓઢા )

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.