ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કોરોના વાઇરસની અસરથી હવે રાખડી બજાર પણ બાકાત રહ્યું નથી.ત્યારે આ વર્ષે કોરોના વાઇરસના લીધે બજારોમાં રાખડીની ખરીદીમાં પણ નિરસતા જોવા મળી રહી છે. કોરોના વાઇરસના લીધે બજારોમાં રાખડીઓની વેરાયટી ઓછી આવતા તેની અસર વેપાર પર પડી રહી છે અને ગ્રાહકોને પોતાની મનપસંદ રાખડીઓના મળતા નિરાશા જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
author img

By

Published : Aug 18, 2021, 2:17 PM IST

  • બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધનના પર્વ પર કોરોના ગ્રહણ
  • કોરોના મહામારી ના કારણે બહારથી આવતી રાખડીઓ થઈ બંધ
  • રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી એમ છતાં બજારો સૂમસામ
  • રાખડીઓના વેપારીઓને ધંધામાં ૫૦ ટકા જેટલું નુકસાન

બનાસકાંઠા: ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટ્લે રક્ષાબંધનનો તહેવાર રક્ષાબંધનના દિવસે બહેન હેતથી તેના ભાઈની કલાઈ પર રક્ષા સ્વરૂપે રાખડી બાંધતી હોય છે. બહેનો માટે આ તહેવાર ખૂબ જ મહત્વ રાખે છે. અને એટલા જ માટે રક્ષાબંધનના પર્વ પર બહેન તેના ભાઈની કલાઈ પર જે રાખડી બાંધે છે તે રાખડી બધાથી અનોખી હોય તેવી રાખડીની પસંદગી કરતી હોય છે.કલાકો સુધી રાખડીઓ જોયા બાદ રાખડીની પસંદગી કરતી હોય છે. અને એટલા જ માટે રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવતા કારીગરો પણ અલગ અલગ વેરાયટીની રાખડીઓ બનાવતા હોય છે. જે રાખડીઓનું વેચાણ બજારોમાં થતા લોકો તેની મોટી સંખ્યામાં ખરીદી કરતાં નજરે પડતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે રાખડીઓના ધંધા-રોજગાર પર મોટી અસર જોવા મળી રહી છે અને વેપારીઓ પણ ગ્રાહકો વગર દુકાનોમાં બેઠેલા નજરે જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ

આ પણ વાંચો: બૉયકૉટ ચાઈના પ્રોડક્ટઃ આ વર્ષે બજારમાં મળશે 'સ્વદેશી રાખડી'

રાખડીઓમાં વેરાયટીઓ થઈ બંધ

છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના આતંકના પગલે રાખડી બનાવતા કારીગરોએ રાખડીઓની વેરાયટી મર્યાદિત કરી દેતા અત્યારે બજારોમાં મર્યાદિત ડિઝાઇનની જ રાખડીઓ ઉપલબ્ધ છે. રાખડીઓની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે રક્ષાબંધનના પર્વને લઈ બહેનો પોતાના ભાઈઓ માટે જે રાખડીઓ ખરીદવા બજાર પહોંચી રહી છે તે બહેનોને મર્યાદિત ડિઝાઇનની રાખડીઓ જ મળતી હોવાથી આ બહેનોમાં નિરાશા જોવા મળી રહી છે. તો આ તરફ બજારોમાં સતત મંદીના કારણે હાલમાં વેપારીઓને રાખડીમાં 45 ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે આમ તો રાખડી ખરીદવા માટે દર વર્ષે મહિલાઓ મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળતી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે બજારોમાં પણ મહિલાઓ ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓને આ વર્ષે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કોરોના વાઇરસને પગલે રાખડીની ડિઝાઇન મર્યાદિત થઈ

કોરોના વાઇરસને પગલે રાખડીની ડિઝાઇન મર્યાદિત આવતી હોવાના લીધે તેની સીધી અસર રાખડી બજાર પર જોવા મળી રહી છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે કોરોના વાઇરસના લીધે રાખડીની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેના લીધે રાખડીના વેપારમાં મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી

મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા રોજગાર ફરીથી જીવંત બને

કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે અને તેના લીધે વિશ્વના મોટાભાગના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. સતત કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અત્યાર સુધી અનેક વેપારીઓ ને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે ખાસ કરીને સીઝન આધારિત જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તે લોકોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આશા રાખીએ કે વિશ્વમાથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય જેથી મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા રોજગાર ફરીથી જીવંત બને.

  • બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધનના પર્વ પર કોરોના ગ્રહણ
  • કોરોના મહામારી ના કારણે બહારથી આવતી રાખડીઓ થઈ બંધ
  • રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી એમ છતાં બજારો સૂમસામ
  • રાખડીઓના વેપારીઓને ધંધામાં ૫૦ ટકા જેટલું નુકસાન

બનાસકાંઠા: ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટ્લે રક્ષાબંધનનો તહેવાર રક્ષાબંધનના દિવસે બહેન હેતથી તેના ભાઈની કલાઈ પર રક્ષા સ્વરૂપે રાખડી બાંધતી હોય છે. બહેનો માટે આ તહેવાર ખૂબ જ મહત્વ રાખે છે. અને એટલા જ માટે રક્ષાબંધનના પર્વ પર બહેન તેના ભાઈની કલાઈ પર જે રાખડી બાંધે છે તે રાખડી બધાથી અનોખી હોય તેવી રાખડીની પસંદગી કરતી હોય છે.કલાકો સુધી રાખડીઓ જોયા બાદ રાખડીની પસંદગી કરતી હોય છે. અને એટલા જ માટે રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવતા કારીગરો પણ અલગ અલગ વેરાયટીની રાખડીઓ બનાવતા હોય છે. જે રાખડીઓનું વેચાણ બજારોમાં થતા લોકો તેની મોટી સંખ્યામાં ખરીદી કરતાં નજરે પડતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે રાખડીઓના ધંધા-રોજગાર પર મોટી અસર જોવા મળી રહી છે અને વેપારીઓ પણ ગ્રાહકો વગર દુકાનોમાં બેઠેલા નજરે જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ

આ પણ વાંચો: બૉયકૉટ ચાઈના પ્રોડક્ટઃ આ વર્ષે બજારમાં મળશે 'સ્વદેશી રાખડી'

રાખડીઓમાં વેરાયટીઓ થઈ બંધ

છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના આતંકના પગલે રાખડી બનાવતા કારીગરોએ રાખડીઓની વેરાયટી મર્યાદિત કરી દેતા અત્યારે બજારોમાં મર્યાદિત ડિઝાઇનની જ રાખડીઓ ઉપલબ્ધ છે. રાખડીઓની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે રક્ષાબંધનના પર્વને લઈ બહેનો પોતાના ભાઈઓ માટે જે રાખડીઓ ખરીદવા બજાર પહોંચી રહી છે તે બહેનોને મર્યાદિત ડિઝાઇનની રાખડીઓ જ મળતી હોવાથી આ બહેનોમાં નિરાશા જોવા મળી રહી છે. તો આ તરફ બજારોમાં સતત મંદીના કારણે હાલમાં વેપારીઓને રાખડીમાં 45 ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે આમ તો રાખડી ખરીદવા માટે દર વર્ષે મહિલાઓ મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળતી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે બજારોમાં પણ મહિલાઓ ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓને આ વર્ષે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કોરોના વાઇરસને પગલે રાખડીની ડિઝાઇન મર્યાદિત થઈ

કોરોના વાઇરસને પગલે રાખડીની ડિઝાઇન મર્યાદિત આવતી હોવાના લીધે તેની સીધી અસર રાખડી બજાર પર જોવા મળી રહી છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે કોરોના વાઇરસના લીધે રાખડીની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેના લીધે રાખડીના વેપારમાં મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી

મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા રોજગાર ફરીથી જીવંત બને

કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે અને તેના લીધે વિશ્વના મોટાભાગના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. સતત કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અત્યાર સુધી અનેક વેપારીઓ ને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે ખાસ કરીને સીઝન આધારિત જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તે લોકોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આશા રાખીએ કે વિશ્વમાથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય જેથી મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા રોજગાર ફરીથી જીવંત બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.