ETV Bharat / state

ઘાસચારા અને પાણીની તંગીથી રાજસ્થાનના માલધારીઓ હિજરત કરી આવ્યા ગુજરાત

બનાસકાંઠાઃ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસચારાની તંગીના કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે અને હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનુ અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે.

author img

By

Published : May 12, 2019, 4:15 PM IST

ઘાસચારા અને પાણીના તંગીના કારણે રાજસ્થાનના માલધારીઓએ હિજરત કરી ગુજરાત આવ્યા

ગયા ચોમાસામાં વર્ષેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયા.પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય પણ લીલું તો ઠીક સૂકા ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી.આ સ્થિતિમાં માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા ઉઠી છે.

ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં 40 જેટલાં માલધારી પરિવારો પોતાનાં 5000 જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે. રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભૂખ-તરસનાં નિસાસા.

ઘાસચારા અને પાણીના તંગીના કારણે રાજસ્થાનના માલધારીઓએ હિજરત કરી ગુજરાત આવ્યા

આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી.બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.જો રાજસ્થાન માં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણીની સહાય આપવામાં આવી હોત તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત.

પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવીએ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે.ત્યારે હાલ તો પોતાના અસ્તિત્વ માટે હિજરતએ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કરી બાબત હોવાનું માની છે.

ગયા ચોમાસામાં વર્ષેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયા.પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય પણ લીલું તો ઠીક સૂકા ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી.આ સ્થિતિમાં માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા ઉઠી છે.

ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં 40 જેટલાં માલધારી પરિવારો પોતાનાં 5000 જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે. રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભૂખ-તરસનાં નિસાસા.

ઘાસચારા અને પાણીના તંગીના કારણે રાજસ્થાનના માલધારીઓએ હિજરત કરી ગુજરાત આવ્યા

આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી.બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.જો રાજસ્થાન માં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણીની સહાય આપવામાં આવી હોત તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત.

પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવીએ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે.ત્યારે હાલ તો પોતાના અસ્તિત્વ માટે હિજરતએ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કરી બાબત હોવાનું માની છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 11 05 2019

સ્લગ..........પશુ હિજરત

એન્કર........ગુજરાત સહિત રાજસ્થાન માં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાન માં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે. અને હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે  

વી ઓ .......ગયા ચોમાસામાં વરસેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન ના પશુપાલકો ને ભારે મુશ્કેલી માં મૂકી દીધાં છે , ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયાં પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાન માં હાલના ઉનાળામાં ક્યાંય લીલું તો ઠીક  સૂકાં ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી. આ સ્થિતિમાં  માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણી ની ચિંતા પેઠી છે. ત્યારે ઘાસચારો અને પાણી ની શોધમાં 40 જેટલાં માલધારી પરિવારો પોતાનાં 5000 જેટલા માલઢોર સાથે બનાસકાંઠા માં આવી પહોંચ્યા છે  રાજસ્થાન થી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠા માં વસવાટ કરી રહ્યા છે , માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભૂખ-તરસનાં નિસાસા. આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી, બનાસકાંઠા ના ડીસા આજુબાજુ માં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે ......જો રાજસ્થાન માં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણી ની   સહાય  આપવામાં આવી હોટ તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત......

બાઈટ....1.. સોઢાજી, 
( માલધારી, રાજસ્થાન )

બાઈટ....2..રૂપાજી, 
( માલધારી, રાજસ્થાન


વી ઓ .......પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવી એ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકાર ની નામોશી સમાન બાબત છે ત્યારે હાલ તો પોતાનાં અસ્તિત્વ માટે હિજરત એ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કરી બાબત હોવાનું માની છે.

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.