ETV Bharat / state

બનાસકાંઠાના વાવમાં કુવામાં પડેલી ગાયનું મોત - Vav Gram Panchayat

બનાસકાંઠાના વાવ ચારવાસ નવી બજારમાં જુના કુવામાં ગાય પડી જતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે સેવાભાવી લોકો દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી હતી. જેમાં ગાયનું સારવાર પહેલાં જ મોત થયું હતું.

banas
બનાસકાંઠાના વાવમાં કૂવામાં પડેલી ગાયનું મોત
author img

By

Published : Sep 24, 2020, 1:35 PM IST

બનાસકાંઠા : વાવ ચારવાસ નવી બજારમાં અવાવરા જુના કુવામાં ગાય પડી જતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં કેટલાંક પશુપ્રેમીઓ અને સેવાભાવી લોકોએ ચાર કલાકની મહેનત કરી ગાયને બહાર કાઢી હતી. જેમાં તે ગંભીર ઘાયલ થઈ હતી અને બહાર કાઢતાં પણ થોડી ઈજા પહોંચી હતી. બહાર કાઢ્યા બાદ ગાયનું સારવાર પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આ કુવાને બંધ કરવાનું કોઈ નામ લેતુ નથી. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં વાવ ગ્રામ પંચાયતને આ કૂવો ધ્યાનમાં આવતો જ નથી. ત્યારે ગ્રામજનો વાવ ગ્રામપંચાયત ઉપર રોષ ઠાલવી રહ્યા છે. અગાઉ પણ આ કૂવામાં બે સ્વાન પડી ગયા હતા. ત્યારે કોઈ મોટી જાનહાની સર્જાય નહીં તે પહેલા આ કુવાનું પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠા : વાવ ચારવાસ નવી બજારમાં અવાવરા જુના કુવામાં ગાય પડી જતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં કેટલાંક પશુપ્રેમીઓ અને સેવાભાવી લોકોએ ચાર કલાકની મહેનત કરી ગાયને બહાર કાઢી હતી. જેમાં તે ગંભીર ઘાયલ થઈ હતી અને બહાર કાઢતાં પણ થોડી ઈજા પહોંચી હતી. બહાર કાઢ્યા બાદ ગાયનું સારવાર પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આ કુવાને બંધ કરવાનું કોઈ નામ લેતુ નથી. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં વાવ ગ્રામ પંચાયતને આ કૂવો ધ્યાનમાં આવતો જ નથી. ત્યારે ગ્રામજનો વાવ ગ્રામપંચાયત ઉપર રોષ ઠાલવી રહ્યા છે. અગાઉ પણ આ કૂવામાં બે સ્વાન પડી ગયા હતા. ત્યારે કોઈ મોટી જાનહાની સર્જાય નહીં તે પહેલા આ કુવાનું પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.