ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા: જિલ્લાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો આજે પણ યથાવત છે. વારંવાર ગાબડા પડવાના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

author img

By

Published : Nov 18, 2019, 11:08 PM IST

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતોને નુકસાન

બનાસકાંઠામાં કેનાલ તૂટવાની ઘટના કોઈ નવી ઘટના નથી. જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડયામાં આવે છે, ત્યારે-ત્યારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના બને છે. આ સિલસિલો કેનાલ બની ત્યારથી જ અવિરતપણે ચાલુ છે. ગત એક અઠવાડિયામાં જ થરાદ અને વાવ વિસ્તારની કેનાલોમાં પાણી છોડતાની સાથે ગાબડું પડ્યું હતું. જેમાં, હજારો લિટર પાણી વેડફાઇ ગયું છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી, ખેડૂતોએ કાળી મજૂરી કરી પકવેલા પાકમાં નુસકાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતોને નુકસાન

ગત એક અઠવાડિયામાં ઢીમાં, પ્રતાપપુરા, દૈયપ, કણોઠી અને આસપાસની કેનાલમાં 10 થી 100 ફૂટ જેટલા ગાબડા પડયા છે. જે કેનાલની બનાવટમાં હલકા પ્રકારનો માલ વપરાયાનો ઈસારો કરે છે. ગાબડું પડવા અંગે તંત્રને રજૂઆત કરવા છતાં, અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં 6 સ્થળે કેનાલમાં ગાબડાં પડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે આવી છે. જોકે, આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવા છતાં, તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થતુ હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે.

આ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ સરકાર પર કેનાલના ગાબડાને લઇ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કેનાલ હલકી ગુણવત્તાવાળી અને ડિઝાઇનમાં ખામી યુક્ત બનાવી છે. જો તંત્ર કેનાલમાં ગંભીરતા નહીં દાખવે, તો અમે ખેડૂતોના અધિકાર માટે છેલ્લે સુધી લડીશું.

બનાસકાંઠામાં કેનાલ તૂટવાની ઘટના કોઈ નવી ઘટના નથી. જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડયામાં આવે છે, ત્યારે-ત્યારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના બને છે. આ સિલસિલો કેનાલ બની ત્યારથી જ અવિરતપણે ચાલુ છે. ગત એક અઠવાડિયામાં જ થરાદ અને વાવ વિસ્તારની કેનાલોમાં પાણી છોડતાની સાથે ગાબડું પડ્યું હતું. જેમાં, હજારો લિટર પાણી વેડફાઇ ગયું છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી, ખેડૂતોએ કાળી મજૂરી કરી પકવેલા પાકમાં નુસકાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતોને નુકસાન

ગત એક અઠવાડિયામાં ઢીમાં, પ્રતાપપુરા, દૈયપ, કણોઠી અને આસપાસની કેનાલમાં 10 થી 100 ફૂટ જેટલા ગાબડા પડયા છે. જે કેનાલની બનાવટમાં હલકા પ્રકારનો માલ વપરાયાનો ઈસારો કરે છે. ગાબડું પડવા અંગે તંત્રને રજૂઆત કરવા છતાં, અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં 6 સ્થળે કેનાલમાં ગાબડાં પડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે આવી છે. જોકે, આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવા છતાં, તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થતુ હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે.

આ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ સરકાર પર કેનાલના ગાબડાને લઇ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કેનાલ હલકી ગુણવત્તાવાળી અને ડિઝાઇનમાં ખામી યુક્ત બનાવી છે. જો તંત્ર કેનાલમાં ગંભીરતા નહીં દાખવે, તો અમે ખેડૂતોના અધિકાર માટે છેલ્લે સુધી લડીશું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. વાવ.બનાસકાંઠા
રીપોર્ટર..રોહિત ઠાકોર
તા.18 11 2019


એન્કર.. બનાસકાંઠાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો આજે પણ યથાવત્ છે ત્યારે વારંવાર ગાબડા પડવાના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે


Body:વિઓ.. બનાસકાંઠામાં કેનાલ તૂટવાની ઘટના એ કંઈ નવી નથી. અત્યાર સુધીમાં કેનાલમાં પાણી છોડયા બાદ એવો કોઈ મહિનો પૂરો નહીં થયો હોય કે કેનાલમાં ગાબડું ન પડ્યું હોય. અને આ સિલસિલો કેનાલ બની ત્યારથી જ અવિરતપણે ચાલુ છે છેલ્લા એક અઠવાડિયામાં જ થરાદ અને વાવ વિસ્તારની કેનાલોમાં પાણી છોડતા ની સાથે જ કેનાલ તૂટી જતાં હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું જેથી ખેડૂતોએ કાળી મજૂરી કરી પકવેલા ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે એક જ અઠવાડિયામાં ઢીમાં, પ્રતાપપુરા, દૈયપ, કણોઠી અને આજુબાજુના કેનાલમાં ૧૦ થી ૧૦૦ ફૂટ જેટલા ગાબડા પડયા છે જેથી માની શકાય કે કેવા હલકા પ્રકારની કામગીરી આ કેનાલમાં કરવામાં આવી છે એકની એક જગ્યાએ વારંવાર ગાબડા પડી રહ્યા છે બીજી તરફ આ મામલે તંત્ર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના ખેડૂતોના આક્ષેપો છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં છ જગ્યાએ કેનાલમાં ગાબડાં પડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે આવી છે જોકે આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થતુ હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે તો સરકાર પણ આ મામલે કોઈ પરિણામ જનક કાર્યવાહી ન કરતા રૂપાણી સરકાર પર ખેડૂત આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા...

બાઈટ.. સેધાભાઈ પટેલ
( ખેડૂત )

બાઈટ.. વાસુભાઈ સાધુ
( ખેડૂત )

વિઓ... આ મામલે થરાદ ના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે પણ ભાજપ સરકાર પર કેનાલમાં ગાબડા બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કેનાલ હલકી ગુણવત્તાવાળી અને ડિઝાઇનમાં ખામી યુક્ત બનાવી છે જેથી રાજકારણીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બેદર કારી ઓના આ પુરાવો બહાર આવી રહ્યા છે જો તંત્ર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો ના થતા નુકસાન મામલે ગંભીરતા નહીં લે તો અમે ખેડૂતોના અધિકાર માટે છેલ્લે સુધી લડીશું..

બાઈટ... ગુલાબસિંહ રાજપુત
( ધારાસભ્ય,થરાદ )


Conclusion:વિઓ.. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાના કારણે ખેડૂતોએ કાળી મજૂરી કર્યા બાદ મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છે આવો અત્યાર સુધી અનેક વાર બન્યું છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કેનાલમાં ગાબડા પડતા રોકવા માટે કોઈ જ ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર ખેડૂતોનાં હિત માટે કેનાલમાં પડતા કાપડા ને રોકવા માટે ચોક્કસ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે...

રીપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.