બનાસકાંઠાઃ રાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat) વધી રહ્યા છે. યાત્રાધામ અંબાજી પર પણ કોરોના (Corona In Ambaji)નું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાનાને (Corona In Gujarat) લઇ યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર ફરીએક વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિર ઉપર ફરી એક વાર કોરોનાની મોટી અસર જોવા મળી છે. ગુજરાતમાં જે રીતે કોરોના કેસનું પ્રમાણ ફરી વધી રહ્યું છે તેવામાં પણ ધાર્મિક અને પર્યટક સ્થળો ઉપર મુસાફરોનો ધસારો વધતો હોવાથી લોકોમાં કોરોનાનું સંક્રમણ(Corona case in Banaskantha) વધુ ન ફેલાય તેને લઈ યાત્રાધામ અંબાજીનું મંદિર આજ થી સાત દિવસ માટે 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે.
મંદિર બંધ કરાતા સમગ્ર મંદિર પરીષરમાં સન્નાટો
અંબાજી મંદિરમાં (Ambaji Temple Closed )શનિવાર અને રવિવારની રજાઓમાં મોટી ભીડ રહતી હોય છે. તેવામાં આજથી મંદિર બંધ કરાતા સમગ્ર મંદિર પરીષરમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. જોકે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલા અંબાજી મંદિરમાં નિત્યક્રમની પૂજા પાઠ અને આરતી ચાલુ રાખવમાં આવી છે. આજે સવારની મંગળા આરતી ભક્તો વગર જ કરવામાં આવી હતી, મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી ઉતાર્યા બાદ ભક્તોની ગેરહાજરીને લઈને ચિંતિત જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ International Space Station : જામનગરવાસીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળ્યું
શ્રધાળુ રોડ ઉપર થી દર્શન કરતા નજરે પડ્યા
કોરોનની ગાઈ લાઈનને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને ભક્તો સુરક્ષિત રહે તેવા આશય થી મંદિર બંધ કરાયા હોવાનું જણાવ્યું હતું અને સવાર સાંજની આરતીના ઘરે બેઠા દર્શનનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જોકે આજે મંદિર બંધ હોવાથી શ્રધાળુ બહાર દુર ઉભા રહી હાઇવે રોડ ઉપર થી જ દર્શન કરતા નજરે પડ્યા હતા અને મંદિર બંધ રાખવાના પગલાને આવકાર દાયક ગણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Murder case surat: સુરતમાં સંક્રાતિ પર્વ પર રચાયું ષડયંત્ર, યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો