ETV Bharat / state

સરકાર દ્વારા જાહેર કરેલા બજેટથી બનાસકાંઠાના ખેડૂતમાં ભારે રોષ

પાલનપુરઃ હાલ દેશમાં સૌથી કપરી સૌથી કપરી પરિસ્થિતિ હોય તો તે છે ખેડૂતોની. રાજ્યમાં કમોસમી વરસાદથી વારંવાર જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ મહા વાવાઝોડાની અસરથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. બાજરી, મગફળી અને બટેટાના પાકને નુકસાન થયું છે.

author img

By

Published : Nov 15, 2019, 5:39 PM IST

સરકાર દ્વારા જાહેર કરેલા બજેટથી બનાસકાંઠાના ખેડૂતમાં ભારે રોષ

જ્યારે બીજી તરફ દાડમ અને અન્ય બાગાયતી પાકોને પણ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે, ત્યારે ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને વિશ્વાસ થયો ન હતો કે, તેમને વળતર મળશે. આ અગાઉ પણ ખેડૂતોને પાક વિમા માટે લડત આપી હતી. પરંતુ, આજ સુધી તેનું વળતર મળ્યું નથી.

સરકાર દ્વારા જાહેર કરેલા બજેટથી બનાસકાંઠાના ખેડૂતમાં ભારે રોષ

ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને 700 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં પિયત ખેતી માટે 13500 રુપિયા અને બિનપિયત ખેતી માટે 6800 પ્રતિ હેક્ટર જાહેર કર્યા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાલ તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવે, ત્યારે જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમારા ગામમાં 33%થી પણ વધુનું નુકસાન થયું છે, છતાં કોઇ પ્રકારે સર્વે કરાયો નથી. તેથી ખેડૂતોને વળતર ન મળતાં હાલ ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ ઋતુમાં 47905 વિસ્તારમાં, ખરીફ ઋતુમાં 597396 વિસ્તારમાં વાવેતર કર્યું હતું. જેમાં કુલ 12211 અરજીઓ ખેડૂતોની નુકસાન માટે આવી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વળતર રૂપિયા ૭ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ દાડમ અને અન્ય બાગાયતી પાકોને પણ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે, ત્યારે ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને વિશ્વાસ થયો ન હતો કે, તેમને વળતર મળશે. આ અગાઉ પણ ખેડૂતોને પાક વિમા માટે લડત આપી હતી. પરંતુ, આજ સુધી તેનું વળતર મળ્યું નથી.

સરકાર દ્વારા જાહેર કરેલા બજેટથી બનાસકાંઠાના ખેડૂતમાં ભારે રોષ

ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને 700 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં પિયત ખેતી માટે 13500 રુપિયા અને બિનપિયત ખેતી માટે 6800 પ્રતિ હેક્ટર જાહેર કર્યા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાલ તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવે, ત્યારે જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમારા ગામમાં 33%થી પણ વધુનું નુકસાન થયું છે, છતાં કોઇ પ્રકારે સર્વે કરાયો નથી. તેથી ખેડૂતોને વળતર ન મળતાં હાલ ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ ઋતુમાં 47905 વિસ્તારમાં, ખરીફ ઋતુમાં 597396 વિસ્તારમાં વાવેતર કર્યું હતું. જેમાં કુલ 12211 અરજીઓ ખેડૂતોની નુકસાન માટે આવી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વળતર રૂપિયા ૭ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું.

Intro:એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઠેરઠેર કમોસમી વરસાદ થયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું પરંતુ ગતરોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટથી હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....


Body:વિઓ... દેશમાં સૌથી કપરી પરિસ્થિતિ હોય તો તે છે ખેડૂતોની. વારંવાર થતા નુકસાનને કારણે જગતના તાતની કમર ભાંગી જાય છે અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મહા વાવાઝોડાની અસરના કારણે થયેલા કમોસમી વરસાદના કારણે બાજરી,મગફળી અને બટાટાના પાકને મોટું નુકસાન થયું છે જ્યારે બીજી તરફ દાડમ અને અન્ય બાગાયતી પાકોને પણ વરસાદના કારણે મોટુ નુકશાન થયુ છે જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે છે પરંતુ તેમ છતાં ખેડૂતોને વિશ્વાસ થયો ન હતો કે તેમને વળતર મળશે અગાઉ પણ ખેડૂતોને પાક વીમા માટે લડત આપી હતી પરંતુ આજદિન સુધી ખેડૂતોને પાક વીમાનું વળતર પણ મળ્યું નથી. ત્યારે ગતરોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટ થી હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદમાં થયેલ નુકસાન માટે ખેડૂતોને 700 કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં પિયત ખેતી માટે 13500 રૂપિયા અને બિનપિયત માટે 6800 પ્રતિ હેક્ટરે જાહેર કર્યા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હાલ તમામ જિલ્લા ના ખેતીવાડી અધિકારીઓ દ્વારા કમોસમી વરસાદ થી થયેલ નુકસાન નો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં 33 ટકા થી પણ વધુનું નુક્શાન થયું છે છતાં પણ અમારે હજુ સુધી કોઈ જ પ્રકારનું સર્વે કરવામાં આવ્યું નથી એક તરફ સરકાર ખેડૂતોની સરકાર જણાવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને વળતર ન મળતા હાલ ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે..

બાઈટ... નરેશ સૈની
( ખેડૂત )

બાઈટ..તળસાજી માળી
( ખેડૂત )


Conclusion:વિઓ.. બનાસકાંઠા જીલ્લાના ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી સતત નુકસાન વેઠી અને વાવેતર કરતો આવ્યો હતો અને ચાલુ વર્ષે સારા ઉત્પાદન મળે તેવી આશાએ ખેડૂતોએ મોંઘા બિયારણ અને મોટા ખર્ચે પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને ફરી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ ઋતુમાં 47905 વિસ્તારમાં વાવેતર કર્યું હતું. ખરીફ ઋતુમાં 597396 વિસ્તારમાં વાવેતર કર્યું હતું. જેમાં કુલ 12211 અરજીઓ ખેડૂતોની નુકસાન માટે આવી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વળતર રૂપ ૭ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ બનાસકાંઠાના ખેડૂતો ના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર જાણે ખેડૂતોની મજાક કરી રહી હોય તેમ આ બજેટ જાહેર કરી છે ડીસા તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું પરંતુ ખેતીવાડી અધિકારી દ્વારા આજદિન સુધી આ ખેડૂતોની મુલાકાત લેવામાં આવી નથી જેના કારણે હાલ ખેડૂતોમાં રાજ્ય સરકાર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ગુજરાત સરકાર ખેડૂતોના હિતની વાતો કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થયેલ મોટા નુકસાનના કારણે હાલ ખેડૂત પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા યોગ્ય વળતર ના આપવામાં આવતા ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.....

બાઈટ... મોહનલાલ માળી
( જિલ્લા કિસાન સંઘ પ્રમુખ )

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. નુકશાન વાળા વિસુઅલ FTP કરેલ છે..
તે વિસુઅલ આ સ્ટોરી માં લેવા...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.