ETV Bharat / state

ભાઇએ કરી સગા ભાઇની ઘાતકી હત્યા, આરોપીને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન - Gujarat Police

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલવાળા ગામે સગા ભાઈ અને ભત્રીજાઓએ મળીને ભાઈના જ પરિવાર પર ઘાતકી હુમલો કરી ભાઇની હત્યા કરી હતી. તેના પરિવારના 5 સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવથી સમગ્ર ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ભાઇ કરી સગા ભાઇની ઘાતકી હત્યા,પરિવારના સભ્યોને કર્યા ઘાયલ
author img

By

Published : Jun 1, 2019, 9:34 PM IST

ભાભર તાલુકાના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ હતી.જ્યારે 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. વારંવાર ઝઘડાના કારણે ખોટી ફરિયાદો થતાં તેની અદાવતનો કરૂણ અંજામ આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ ભાભર તાલુકાના બરવાળા ગામે રહેતા જીવાભાઈ વાલજીભાઈ પરમાર અને તેમના ભાઈ નરસિંહભાઈ વાલજીભાઈ પરમારના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડાઓ ચાલતા હતા. જેના કારણે અનેક વખત પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

જેની અદાવત રાખી શુક્રવારે રાત્રે જીવાભાઈ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંહભાઇ પરમાર અને તેમના દીકરા જગદીશભાઈ નરસિંહભાઈ પરમાર તેમજ રણજીત નરસિંહભાઈ પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી જઇ ખાટલા પર સુઈ રહેલા જીવાભાઇને ઊંઘમા જ છરી, ધારિયા અને ટોમી વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં તેમનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જીવાભાઇની પત્ની અને તેમના પુત્રો પર પણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

ભાઇ કરી સગા ભાઇની ઘાતકી હત્યા,પરિવારના સભ્યોને કર્યા ઘાયલ

ઉલ્લેખનીય છે કે, પરિવારની ચીસો સાંભળી આજૂ-બાજૂથી લોકો દોડી આવતા 3એ પિતા-પુત્ર નાસી ગયા હતા. જ્યારે ઘાયલોને ભાભર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસે આરોપી પિતા અને તેના 2 પુત્રો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ભાભર તાલુકાના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ હતી.જ્યારે 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. વારંવાર ઝઘડાના કારણે ખોટી ફરિયાદો થતાં તેની અદાવતનો કરૂણ અંજામ આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ ભાભર તાલુકાના બરવાળા ગામે રહેતા જીવાભાઈ વાલજીભાઈ પરમાર અને તેમના ભાઈ નરસિંહભાઈ વાલજીભાઈ પરમારના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડાઓ ચાલતા હતા. જેના કારણે અનેક વખત પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

જેની અદાવત રાખી શુક્રવારે રાત્રે જીવાભાઈ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંહભાઇ પરમાર અને તેમના દીકરા જગદીશભાઈ નરસિંહભાઈ પરમાર તેમજ રણજીત નરસિંહભાઈ પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી જઇ ખાટલા પર સુઈ રહેલા જીવાભાઇને ઊંઘમા જ છરી, ધારિયા અને ટોમી વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં તેમનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જીવાભાઇની પત્ની અને તેમના પુત્રો પર પણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

ભાઇ કરી સગા ભાઇની ઘાતકી હત્યા,પરિવારના સભ્યોને કર્યા ઘાયલ

ઉલ્લેખનીય છે કે, પરિવારની ચીસો સાંભળી આજૂ-બાજૂથી લોકો દોડી આવતા 3એ પિતા-પુત્ર નાસી ગયા હતા. જ્યારે ઘાયલોને ભાભર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસે આરોપી પિતા અને તેના 2 પુત્રો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Intro:એન્કર
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલવાડા ગામે સગા ભાઈ અને ભત્રીજાઓ એ મળીને ભાઈના જ પરિવાર પર ઘાતકી હુમલો કરી ભાઇની હત્યા કરી તેના પરિવારના પાંચ સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવથી સમગ્ર ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


Body:વી.ઓ.
ભાભર તાલુકાના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ હતી જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા .વારંવાર ઝઘડાના કારણે ખોટી ફરિયાદો થતાં તેની અદાવત નો કરૂણ અંજામ આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે ભાભર તાલુકાના બરવાળા ગામે રહેતા જીવાભાઈ વાલજીભાઈ પરમાર અને તેમના ભાઈ નરસિંહભાઈ વાલજીભાઈ પરમાર ના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડાઓ ચાલતા હતા.જેના કારણે અનેક વખત પોલીસ ફરિયાદ પણ થઇ હતી. જેની અદાવત રાખી ગઈ રાત્રે જીવાભાઈ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંહભાઇ પરમાર અને તેમના દીકરા જગદીશભાઈ નરસિંહભાઈ પરમાર તેમજ રણજીત નરસિંહભાઈ પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી ખાટલા પર સુઈ રહેલા જીવાભાઇને ઊંઘમા જ છરી ધારિયા અને ટોમી વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જીવાભાઇ ની પત્ની અને તેમના પુત્રો પર પણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. પરિવારની ચીસો સાંભળી આજુબાજુથી લોકો દોડી આવતા ત્રણેય પિતા-પુત્ર નાસી ગયા હતા. જ્યારે ઘાયલોને ભાભર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસે આરોપીઓ પિતા અને બે પુત્રો સામે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે . આ બનાવથી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યો છે. જ્યારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ
હાથ ધરી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.