ETV Bharat / state

પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણ મામલે બુધવારના રોજ ભારત સરકારની ટીમ મુલાકાતે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તીડના આક્રમણ મામલે એલર્ટ આપવામાં આવતા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. બુધવારે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તીડના આક્રમણ અને તેને રોકવા શું પગલાં લઈ શકાય તે મામલે ચર્ચા થઈ હતી.

author img

By

Published : Feb 19, 2020, 7:51 PM IST

પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ
પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણની સંભાવના છે. મે માસમાં તીડનું એક મોટું ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવે તેવી શક્યતાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યોની ટીમ બુધવારના રોજ બનાસકાંઠા પહોંચી હતી. જેમાં ભારત સરકારના કૃષિ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુ.એન)ની ઘ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઝેશન (FAO)એ તીડ આવવાની કરી આશંકાએ વ્યક્ત કરી છે. જેને પગલે બુધવારના રોજ તીડ કંટ્રોલ અને તેની તકેદારી માટે શું પગલાં ભરી શકાય તે માટે ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ
અગાઉ પણ જ્યારે તીડ આવ્યા તેને કંટ્રોલ કરવામાં ભારે જહેમત વહીવટી તંત્ર ઉઠાવી પડી હતી. ફરી એકવાર તીડના આક્રમણની દહેશત છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનુંએ રહેશે કે સરકારની પાણી પહેલા બાંધેલી પાળ કેટલી કારગર સાબિત થાય છે.

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણની સંભાવના છે. મે માસમાં તીડનું એક મોટું ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવે તેવી શક્યતાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યોની ટીમ બુધવારના રોજ બનાસકાંઠા પહોંચી હતી. જેમાં ભારત સરકારના કૃષિ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુ.એન)ની ઘ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઝેશન (FAO)એ તીડ આવવાની કરી આશંકાએ વ્યક્ત કરી છે. જેને પગલે બુધવારના રોજ તીડ કંટ્રોલ અને તેની તકેદારી માટે શું પગલાં ભરી શકાય તે માટે ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ
અગાઉ પણ જ્યારે તીડ આવ્યા તેને કંટ્રોલ કરવામાં ભારે જહેમત વહીવટી તંત્ર ઉઠાવી પડી હતી. ફરી એકવાર તીડના આક્રમણની દહેશત છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનુંએ રહેશે કે સરકારની પાણી પહેલા બાંધેલી પાળ કેટલી કારગર સાબિત થાય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.