બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાનું સંકટ વધતુ જઇ રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝીટીવની સંખ્યા સામે આવી રહી છે, ત્યારે કોરોનાના વધુ 6 પોઝીટીવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા 145 સુધી પહોંચી ગઈ છે.
જિલ્લામાં હજુ પણ કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા અટકવાનું નામ જ લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. જિલ્લામાં બીજી જૂનના અલગ અલગ રેન્ડમ વ્યક્તિઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ સોમવારે બપોરે આવતા 3 જેટલા કેસ પોઝીટીવ નોંધાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં 7 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 1 પાલનપુર તાલુકાનો છે અને 6 ડીસા તાલુકાનાં છે. જિલ્લામાં 7 પોઝીટીવ કેસ સામે આવતા જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા 145 સુધી પહોંચી છે. જે રીતે કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે તેને લઈ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે, જે રીતે અત્યારે લોકો માસ્ક વગર બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે તેને લઈ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે જો લોકો કોરોના વાઇરસને લઈ ગંભીર નહીં બને તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થઈ શકે તેમ છે.
જિલ્લામાં હવે કોરોના કાબૂ બહાર નીકળતો નજરે પડી રહ્યો છે અને જે રીતે લોકડાઉન બાદ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતાં આગામી સમયમાં જિલ્લાનું પ્રશાસન જિલ્લાવાસીઓને આપેલી છૂટછાટ પછી ખેંચી લે તો નવાઈ નહીં, ત્યારે જિલ્લાની જનતાએ પણ હવે આ સંભવિત ખતરાને લઈ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું ખૂબ જરૂરી બન્યું છે.