ETV Bharat / state

ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું

author img

By

Published : Mar 7, 2021, 10:38 PM IST

બનાસકાંઠામાં ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે આવતા એક આદિવાસી વૃદ્ધનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું છે. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને રેલવે કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમજ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Banaskantha news
Banaskantha news
  • ઈકબાલગઢ પાસે આજે ટ્રેનની અડફેટે આવી જતાં વૃદ્ધનું મોત
  • બનાવના પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે
  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતે મોતના બનાવોમાં વધારો

બનાસકાંઠા: ઈકબાલગઢ પાસે રવિવારના રોજ ટ્રેનની અડફેટે આવી જતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં આંબાવાડી વિસ્તારની રહેવાસી ભેરાજી ઉદાજી ધ્રાગી ઇકબાલગઢ પાસે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન મૈસુરથી અજમેર તરફ જઈ રહેલી ટ્રેનની અડફેટે વૃદ્ધ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને રેલવે સ્ટેશન પરના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મૃતકની શોધખોળ શરૂ કરી હતી. આ વૃદ્ધ કયાના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી.

ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું

વધુ એક રેલવેની ટક્કરથી એક મહિલાનું પણ મોત નીપજ્યું

રવિવારના રોજ ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે વૃદ્ધા પુરુષનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રેલવે પોલીસ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને ટ્રેનની અડફેટે આવેલા વૃદ્ધાનું મોત નીપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનના શ્રમિકને બનાસકાંઠામાં નડ્યો અકસ્માત, એકનું મોત

  • ઈકબાલગઢ પાસે આજે ટ્રેનની અડફેટે આવી જતાં વૃદ્ધનું મોત
  • બનાવના પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે
  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતે મોતના બનાવોમાં વધારો

બનાસકાંઠા: ઈકબાલગઢ પાસે રવિવારના રોજ ટ્રેનની અડફેટે આવી જતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં આંબાવાડી વિસ્તારની રહેવાસી ભેરાજી ઉદાજી ધ્રાગી ઇકબાલગઢ પાસે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન મૈસુરથી અજમેર તરફ જઈ રહેલી ટ્રેનની અડફેટે વૃદ્ધ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને રેલવે સ્ટેશન પરના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મૃતકની શોધખોળ શરૂ કરી હતી. આ વૃદ્ધ કયાના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી.

ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું

વધુ એક રેલવેની ટક્કરથી એક મહિલાનું પણ મોત નીપજ્યું

રવિવારના રોજ ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે વૃદ્ધા પુરુષનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રેલવે પોલીસ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને ટ્રેનની અડફેટે આવેલા વૃદ્ધાનું મોત નીપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનના શ્રમિકને બનાસકાંઠામાં નડ્યો અકસ્માત, એકનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.