બનાસકાંઠા ભાદરવા મહિનામાં ગરમી અને વરસાદ બન્નેનું જોર રહેતું હોય છે. આ ભાદરવામાં યાત્રાધામ અંબાજીમાં પદયાત્રીઓનો મહા મેળો યોજાય છે. સેંકડો કિલોમીટરથી ચાલીને યાત્રિકો અંબાજી પહોંચતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં પદયાત્રીઓ (Pedestrians Fair Ambaji) માટે મહા મેળો યોજાય છે.
નિઃશુલ્ક પદયાત્રીઓને શક્તિ વર્ધક પીણું સેંકડો કિલોમીટરથી ચાલીને યાત્રિકો અંબાજી પહોંચતા હોય છે. અમદાવાદના નગીન પટેલે પદયાત્રીઓને શક્તિ વર્ધક પીણું (Energy drink for pilgrims Ambaji Temple) એટલે કે લીંબુ પાણીની વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા લોકો સુધી પહોંચાડી તેઓ એક પુણ્યનું કામ કરી રહ્યા હતા. લીંબુ પાણીની વ્યવસ્થામાં (Lemon water Facility in Ambaji temple) રોજના 3000 કિલો લીંબુ, 1500 કિલો જેટલી ખાંડનું નીબું પાણી બનાવી યાંત્રિકોને મેળાના 6 દિવસ વિતરણ કરી યાત્રિકોમાં એક જોશ પૂરો પાડ્યો હતો.
નીબું પાણી બનાવી આપવાનો આજીવન ટેક નગીનભાઈએ જણાવ્યું હતું કે, પોતે જ્યારે અંબાજી દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેમણે ટેક લીધી હતી. આ તે ટેક પુરી થતા નગીનભાઈએ આજીવન લીંબુ પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા (Free Lemon water Facility in Ambaji) અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન પુરી પાડવાનું સંકલ્પ કર્યો હતો. 1500 કિલો જેટલી ખાંડનું નીબું પાણી બનાવી યાત્રિકોને મેળાના 6 દિવસ વિતરણ કરી યાત્રિકોમાં એક જોસ પૂર્યું હતું. જે અવિરત પણે ચાલુ છે. તેઓ જીવશે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રાખવા જણાવી રહ્યા છે. આ વ્યવસ્થામાં 100 જેટલા માણસો અમદાવાદથી બોલાવી લીંબુ નિચોવી શરબત બનાવી પીવડાવવામાં આવ્યું હતું.