ETV Bharat / state

AKSHAYA TRITIYA : જમીનનું પૂજન અને ખેતીના ઓજારો સાધનોની આ રીતે થાય છે પૂજા

ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. ત્યારે અખાત્રીજના તહેવારની પરંપરામાં શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે.

author img

By

Published : Apr 22, 2023, 4:08 PM IST

AKSHAYA TRITIYA : જમીનનું પૂજન અને ખેતીના ઓજારો સાધનોની આ રીતે થાય છે પૂજા
AKSHAYA TRITIYA : જમીનનું પૂજન અને ખેતીના ઓજારો સાધનોની આ રીતે થાય છે પૂજા
ખેતીની શુભ શરૂઆત

ડીસા : વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે.. અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે ડીસાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતાં. ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું.

ખેડૂતો માટે અનેરો દિવસ : હવે ખેતીની પદ્ધતિ પણ આધુનિક સમયમાં હળ અને બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતાં. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર સોનાના ભાવની ચિંતા નહિ, લોકો ખરીદી રહ્યા છે અલ્ટ્રા લાઈટ વેઇટ ગોલ્ડ જ્વેલરી

પૂજાની પરંપરા આજે પણ અકબંધ : પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતાં પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તહેજીબ પણ બદલાવવા માંડી છે ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓઝારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે.

ખેડૂતોમાં આનંદ કનવરજી ઠાકોરે અખાત્રીજના મહત્ત્વને લઇને ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે અખાત્રીજના નિમિત્તે વાંજતે ગાજતે ટ્રેક્ટર અને હળની પૂજા કરી છે. પહેલાના સમયમાં અમારા વડવાઓ હળ અને બળદની પૂજા કરતાં હતાં પરંતુ હવે આધુનિક સમયમાં બળદ રહ્યા નથી. ત્યારે અમે ટ્રેક્ટરથી ખેતી કરીએ છીએ અને ટ્રેક્ટરની પૂજા કરી આજે ખેતીમાં નવા વર્ષની શરૂઆત કરી છે.

આ પણ વાંચો AKSHAYA TRITIYA 2023 : અક્ષય તૃતીયા આ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાખશે

મહિલાઓએ ટ્રેક્ટરની પૂજા કરી : ખેડૂત મહિલા પિનલ ઠાકોરે પણ જણાવ્યું હતું કે આજે અમે અખાત્રીજના દિવસે ટ્રેક્ટરની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી છે. પહેલાના સમયમાં અમારા વડવાઓ બળદ અને હળથી ખેતી કરતા હતા એટલે તેઓ અખાત્રીજના દિવસે બળદ અને હળની પૂજા કરતા હતાં. પરંતુ અમે આધુનિક સમયમાં હવે ટ્રેક્ટરની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી છે.

ખેતીની શુભ શરૂઆત

ડીસા : વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે.. અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે ડીસાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતાં. ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું.

ખેડૂતો માટે અનેરો દિવસ : હવે ખેતીની પદ્ધતિ પણ આધુનિક સમયમાં હળ અને બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતાં. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર સોનાના ભાવની ચિંતા નહિ, લોકો ખરીદી રહ્યા છે અલ્ટ્રા લાઈટ વેઇટ ગોલ્ડ જ્વેલરી

પૂજાની પરંપરા આજે પણ અકબંધ : પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતાં પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તહેજીબ પણ બદલાવવા માંડી છે ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓઝારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે.

ખેડૂતોમાં આનંદ કનવરજી ઠાકોરે અખાત્રીજના મહત્ત્વને લઇને ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે અખાત્રીજના નિમિત્તે વાંજતે ગાજતે ટ્રેક્ટર અને હળની પૂજા કરી છે. પહેલાના સમયમાં અમારા વડવાઓ હળ અને બળદની પૂજા કરતાં હતાં પરંતુ હવે આધુનિક સમયમાં બળદ રહ્યા નથી. ત્યારે અમે ટ્રેક્ટરથી ખેતી કરીએ છીએ અને ટ્રેક્ટરની પૂજા કરી આજે ખેતીમાં નવા વર્ષની શરૂઆત કરી છે.

આ પણ વાંચો AKSHAYA TRITIYA 2023 : અક્ષય તૃતીયા આ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાખશે

મહિલાઓએ ટ્રેક્ટરની પૂજા કરી : ખેડૂત મહિલા પિનલ ઠાકોરે પણ જણાવ્યું હતું કે આજે અમે અખાત્રીજના દિવસે ટ્રેક્ટરની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી છે. પહેલાના સમયમાં અમારા વડવાઓ બળદ અને હળથી ખેતી કરતા હતા એટલે તેઓ અખાત્રીજના દિવસે બળદ અને હળની પૂજા કરતા હતાં. પરંતુ અમે આધુનિક સમયમાં હવે ટ્રેક્ટરની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.