ETV Bharat / state

અંબાજી નજીક ગોઝારો અકસ્માત, યાત્રિકોની બસ પલટી જતાં 21ના મોત, 55 ઈજાગ્રસ્ત - undefined

આણંદ/અંબાજીઃ સોમવારે સાંજના ચારથી પાંચ વાગ્યાના સુમારે અંબાજીથી દર્શન કરી પરત પાલનપુર તરફ જઇ રહેલી એક લકઝરી બસ ત્રીશુળીયા ઘાટમાં હનુમાનજી મંદિર પાસે અક્સમાત નડ્યો છે. ખાનગી લકઝરી બસ ચાલકે પોતાનો સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ રોડ ઉપર પલટી મારી હતી. આ દુર્ઘટનામાં 21ના મોત થયા છે, જ્યારે 55થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખસેડાયા છે.

અંબાજી નજીક ગોઝારો અકસ્માત, યાત્રિકોની બસ પલટી જતાં 21ના મોત, 55 ઈજાગ્રસ્ત
author img

By

Published : Oct 1, 2019, 5:41 AM IST

Updated : Oct 1, 2019, 6:11 AM IST

આ ગમખ્વાર અકસ્માતમાં આંકલાવ, ખડોલ, અનગઢ ,કુવા દાવોલ, કંથારીયા જેવા અલગ અલગ ગામોમાંથી અંબાજીની યાત્રાએ આવેલા યાત્રિકો માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ખાનગી લક્ઝરી બસ રોડ ઉપર પલટી મારતા ઘટનાસ્થળે 21 મુસાફરો જેમાં 4 બાળકો 14 પુરુષો અને 3 મહિલાઓ સહીત કુલ 21 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજયા છે. જ્યારે 55 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેમને દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને પ્રાથમિક સારવાર આપી 35 જેટલા મુસાફરોને સારવાર અર્થે પાલનપુર તેમજ અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 20 મુસાફરોને દાંતા ખાતે જ સારવાર અપાઇ હતી. જોકે આ સમગ્ર બાબતના સમાચાર સમગ્ર જિલ્લામાં ફેલાતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અંબાજીમાં અકસ્માતમાં 21ના મોત, પંથકમાં અરેરાટી પ્રસરી

અંબાજી મંદિર વહીવટદાર, આરટીઓ, પ્રાંત અધિકારી, કલેકટર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તો સારવાર અર્થે મદદરૂપ થવાના પ્રયાસો કર્યા હતા. તેમજ મૃત પામેલા 21 મુસાફરોને પોસ્ટમોર્ટમ ની કામગીરી માટે તેમના મૃતદેહ દાંતા રેફરલ હોસ્પિટલમાં રખાયા છે. આ ત્રિશુળીયા ઘાટામાં વારંવાર બનતા અકસ્માત અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિશુળીયા ઘાટમાં રોડ વચ્ચે ડીવાઈડર મૂકી ઉતરવાની બાજુએ કર મૂકવામાં આવે અકસ્માત સર્જાવાનો ભય ઓછો થઈ શકે. આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમજ જીલ્લા કલેકટર દ્વારા સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને છેલ્લા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર મળે તે માટે ઘટતી કાર્યવાહી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતુ.

આ અકસ્માત માં 21 જેટલા મુસાફરોના મોત નિપજતા અંબાજી પંથકમાં પણ ભારે ગમગીની છવાઇ હતી. અંબાજી મંદિર સહિત અન્ય ગરબી મંડળોમાં બીજા નોરતે માતાજીની આરતી કરી મૃતકો ને શ્રધ્ધાંજલી આપી ગરબાના કાર્યક્રમ પણ રદ કરાયા હતા.

નવરાત્રી તહેવાર માં આદ્યશક્તિ જગદંબા માં અંબાની ઉપાસનાનો અનેરો મહિમા હોય છે. જેથી આ નવરાત્રીના તહેવાર દરમિયાન માં અંબાના ધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં સોમવારે આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકા માંથી એક લક્ઝરી બસમાં 56 જેટલા શ્રધ્ધાળુ દર્શન કરવા માટે ગયા હતા. જે લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા. અચાનક બનેલી ઘટનાની જાણ ગામમાં વાત પ્રસરી ગઈ હતી. જેથી સંબંધીઓએ પોતાના સ્વજનોની ભાળ મેળવવાનું શરૂ કર્યુ ે.

હાલ ખડોલ, દાવોલ,મૂજકુવા,નંદેસરી, આશોદર અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દરેક સ્વજન પોતાના ગામના અને સબંધીની ચિંતામાં શરી પડ્યા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતા જોતા આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ દ્વારા પાલનપુરના સાંસદ પરબત પટેલ તથા કલેકટરને ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તે ઉપરાંત ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ સરનામાની પુરી વિગત મેળવી અને તાત્કાલિક પરિવારજનો સાથે સંપર્ક સાધી અને તેમને સાંત્વના પાઠવવા માટે તજવીજ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં આંકલાવ, ખડોલ, અનગઢ ,કુવા દાવોલ, કંથારીયા જેવા અલગ અલગ ગામોમાંથી અંબાજીની યાત્રાએ આવેલા યાત્રિકો માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ખાનગી લક્ઝરી બસ રોડ ઉપર પલટી મારતા ઘટનાસ્થળે 21 મુસાફરો જેમાં 4 બાળકો 14 પુરુષો અને 3 મહિલાઓ સહીત કુલ 21 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજયા છે. જ્યારે 55 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેમને દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને પ્રાથમિક સારવાર આપી 35 જેટલા મુસાફરોને સારવાર અર્થે પાલનપુર તેમજ અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 20 મુસાફરોને દાંતા ખાતે જ સારવાર અપાઇ હતી. જોકે આ સમગ્ર બાબતના સમાચાર સમગ્ર જિલ્લામાં ફેલાતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અંબાજીમાં અકસ્માતમાં 21ના મોત, પંથકમાં અરેરાટી પ્રસરી

અંબાજી મંદિર વહીવટદાર, આરટીઓ, પ્રાંત અધિકારી, કલેકટર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તો સારવાર અર્થે મદદરૂપ થવાના પ્રયાસો કર્યા હતા. તેમજ મૃત પામેલા 21 મુસાફરોને પોસ્ટમોર્ટમ ની કામગીરી માટે તેમના મૃતદેહ દાંતા રેફરલ હોસ્પિટલમાં રખાયા છે. આ ત્રિશુળીયા ઘાટામાં વારંવાર બનતા અકસ્માત અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિશુળીયા ઘાટમાં રોડ વચ્ચે ડીવાઈડર મૂકી ઉતરવાની બાજુએ કર મૂકવામાં આવે અકસ્માત સર્જાવાનો ભય ઓછો થઈ શકે. આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમજ જીલ્લા કલેકટર દ્વારા સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને છેલ્લા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર મળે તે માટે ઘટતી કાર્યવાહી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતુ.

આ અકસ્માત માં 21 જેટલા મુસાફરોના મોત નિપજતા અંબાજી પંથકમાં પણ ભારે ગમગીની છવાઇ હતી. અંબાજી મંદિર સહિત અન્ય ગરબી મંડળોમાં બીજા નોરતે માતાજીની આરતી કરી મૃતકો ને શ્રધ્ધાંજલી આપી ગરબાના કાર્યક્રમ પણ રદ કરાયા હતા.

નવરાત્રી તહેવાર માં આદ્યશક્તિ જગદંબા માં અંબાની ઉપાસનાનો અનેરો મહિમા હોય છે. જેથી આ નવરાત્રીના તહેવાર દરમિયાન માં અંબાના ધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં સોમવારે આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકા માંથી એક લક્ઝરી બસમાં 56 જેટલા શ્રધ્ધાળુ દર્શન કરવા માટે ગયા હતા. જે લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા. અચાનક બનેલી ઘટનાની જાણ ગામમાં વાત પ્રસરી ગઈ હતી. જેથી સંબંધીઓએ પોતાના સ્વજનોની ભાળ મેળવવાનું શરૂ કર્યુ ે.

હાલ ખડોલ, દાવોલ,મૂજકુવા,નંદેસરી, આશોદર અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દરેક સ્વજન પોતાના ગામના અને સબંધીની ચિંતામાં શરી પડ્યા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતા જોતા આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ દ્વારા પાલનપુરના સાંસદ પરબત પટેલ તથા કલેકટરને ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તે ઉપરાંત ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ સરનામાની પુરી વિગત મેળવી અને તાત્કાલિક પરિવારજનો સાથે સંપર્ક સાધી અને તેમને સાંત્વના પાઠવવા માટે તજવીજ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Intro:આણંદ જિલ્લામાં થી અંબાજી દર્શનાર્થે શ્રધ્ધાળુ ઓ ને અંબાજી દર્શન કરાવી પરત ફરતી એક લક્ઝરી બસને અકસ્માત નડતા 20થી વધુ મુસાફરો ના મૃત્યુ થયા.


Body:નવરાત્રી તહેવાર માં આદ્યશક્તિ જગદંબા માઁ અંબા ની ઉપાસના નો અનેરો મહિમા હોય છે જેથી આ નવરાત્રી ના તહેવાર દરમિયાન માં અંબા ના ધામ અંબાજી માં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે માં સોમવારે આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકા માંથી એક લક્ઝરી બસ માં 56 જેટલા શ્રધ્ધાળુ દર્શન કરવા માટે ગયા હતા જે લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અંબાજી પાસે આવેલ ત્રિશુલ ઘાટી પાસે ડ્રાયવર દ્વારા સ્ટેરીંગ પર નો કાબુ ઘુમાવી દેતા કે ખરાબ વાતાવરણ ની ખરાબ પરિસ્થિતિ ના કારણે ઘાટી માં આવેલ હનુમાન જીના મંદિર પાસે અચાનક બસ પલટી મારી જતા 20કરતા વધારે નું મોત થયા ની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થવા પામી છે.

અચાનક બનેલી ઘટના ની જાણ ગામ માં થતા વાત જંગલ ની આગ ના જેમ સમગ્ર પંથક માં પ્રસરી ગઈ હતી ત્યારે હાલ યાત્રાળુઓ ના પરિવાર જાણો ઘટના સ્થળે પહોંચી પોતાના સ્નેહીઓ ની ભાળ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

હાલ ખડોલ, દાવોલ,મૂજકુવા,નંદેસરી, આશોદર અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દરેક સ્વજન પોતાના ગામના અને સબંધી ની ચિંતા માં શરીપડ્યા જોવા મળ્યા હતા..

ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતા જોતા આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ દ્વારા પાલનપુરના સાંસદ પરબત પટેલ તથા કલેકટરને ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તે ઉપરાંત ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ સરનામાની પુરી વિગત મેળવી અને તાત્કાલિક પરિવારજનો સાથે સંપર્ક સાધી અને તેમને સાંત્વના પાઠવવા માટે તજવીજ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

બાઈટ : ધવલ પટેલ.(સ્થાનિક)
બાઈટ: અર્જુનભાઈ ઠાકોર(સ્થાનિક અગ્રણી)


Conclusion:
Last Updated : Oct 1, 2019, 6:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.